Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોટબંધીનું ભૂત હજી ધૂણે છેઃ નવસારીમાંથી રદ થયેલી 69 લાખની ચલણી નોટ સાથે સુરતનાં બે પકડાયા

Webdunia
શનિવાર, 17 નવેમ્બર 2018 (12:53 IST)
નવસારીની અગ્રવાલ કોલેજ જતાં રોડ પરથી ટાઉન પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે બાતમી આધારે સુરતનાં બે શખ્સોને રૂા.૬૯.૭ લાખની રદ્દ કરાયેલી ચલણીનોટો સાથે ઝડપી પાડતા ચકચાર મચી છે. પોલીસે આ જુનીનોટ ક્યાંથી આવી ? કોને આપવા આરોપીઓ જઈ રહ્યા હતા ? તેની તપાસ માટે તેમના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ નવસારી ટાઉન પોલીસની સર્વેલન્સ સ્ક્વોડે ટીમને બાતમી મળી હતી કે નવસારી-ગણદવી રોડ પર આવેલી એસ.એસ.અગ્રવાલ કોલેજ તરફ જતાં રસ્તા પરથી બે શખ્સો જુની ચલણી નોટોનાં બંડલો લઈને જઈ રહ્યા છે.

જે આધારે વોચમાં ઉભેલી સર્વેલન્સની ટીમને બેે શખ્સો શંકાસ્પદ હાલતમાં પસાર થતાં દેખાયા હતા. તેમની પાસેથી નંબર વિનાની એક્ટીવા હતી. આથી પોલીસ ટીમે તેમને અટકાવી તલાશી લેતા એક કાળા કલરની બેગ મળી હતી. જેમાં બે વર્ષ અગાઉ કેન્દ્ર સરકારે ચલણમાંથી રદ્દ કરેલી રૂા.૧ હજાર અને રૂા.૫૦૦ની જુની ચલણી નોટોનાં બંડલ મળ્યા હતા.

પોલીસે બંને શખ્સોને પોલીસ મથકે લાવી પુછપરછ કરતાં તેમણે પોતાના નામ મોહમંદ ઝૂબેર મોહમંદ હનીફ ઝવેરી (ઉ.વ.૪૭, રહે. રાણી તળાવ બીબીની વાડી, સુરત) અને રમેશ વિઠ્ઠલભાઈ રાવળ (ઉ.વ.૪૭, રહે. નવદુર્ગા સોસાયટી, મકાન નં.૮ નાના વરાછા રોડ, સુરત) હોવાનું જણાવ્યું હતું. તેમની પાસેથી મળેલી કાળી બેગમાંથી રૂા.૧૦૦૦ની ૧૪૫૧ નંગ નોટ એટલે રૂા.૧૪.૫૧ લાખ, તેમજ રૂા.૫૦૦ની ૧૦,૯૧૩ નંગ નોટ એટલે કે રૂા.૫૪.૫૬ લાખ મળીને કુલ રૂા.૬૯.૭ લાખની કિંમતની કુલ રૂા.૧૨,૩૯૪ નંગ જુની રદ્દ થયેલી ચલણી નોટનાં બંડલ મળી આવ્યા હતા.

જે અંગે બંને જણા કોઈ ખુલાસો નહીં કરતા પોલીસે તેમની ધરપકડ કરી આ નોટો ક્યાંથી કેમ અને કોની પાસેથી લાવ્યા હતા ? અને ક્યાં લઈ જવાનાં હતા ? તેના માટે તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. તેમજ આ બાબતે સ્થાનિક ઈન્કમ ટેક્ષ વિભાગને જાણકારી આપવામાં આવી છે.
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments