Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરોડા પાટિયામાં કેસમાં માયા કોડનાનીની અરજીમાં અનેક વિરોધાભાસ છે- હાઇકોર્ટ

Webdunia
મંગળવાર, 2 મે 2017 (13:01 IST)
નરોડા પાટિયા રમખાણ કેસમાં 8 સાક્ષી બોલાવવા માયા કોડાનાનીએ કરેલી અરજીની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે કોડાનાનીના વકીલ સામે કેટલાક વેધક સવાલો ઉભા કર્યા હતા. કોર્ટે કોડનાનીના વકીલને એવી ટકોર કરી હતી કે તેની સાક્ષી બોલાવવાની રજુઆતમાં જ અનેક વિરોધાભાસ દર્શાવ્યા છે. આ અરજી પર હાઇકોર્ટ ચુકાદો આપશે તો સમગ્ર કેસની અપીલ પર તેની અસર પડશે. એટલુ જ નહી નરોડા ગામ કેસ પર પણ તેની અસર થશે. શુ કોડનાનીએ હાલના તબક્કે આ અરજી કરવી જરૃરી છે?

નરોડા પાટિયા કેસમાં અમિત શાહ સહિતના 8 સાક્ષીઓને સમન્સ પાઠવવા માયા કોડનાનીએ અરજી કરી છે. અરજીમાં અમિત શાહને શા માટે બોલાવવા અને અન્ય સાક્ષીઓને કયા કારણોસર સમન્સ પાઠવવા તે અંગે માયા કોડનાનીના વકીલે કરેલી રજુઆતમાં અનેક વિરોધાભાસ છે તેવી કોર્ટે ટકોર કરી હતી. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે નીચલી કોર્ટમાં ચાલતા નરોડા ગામ કેસ કરતા પહેલા નરોડા પાટિયા કેસનો ચુકાદો આવી શકે છે. અને તેની અસર નરોડા ગામ ઉપર પણ પડી શકે છે. હાઇોકર્ટની ટકોર બાદ કોડનાનીના વકીલે કોર્ટે ઉઠાવેલા સવાલોનો જવાબ આપવા સમય માગ્યો છે . જેની વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાશે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments