Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ ઇસ્કોન અકસ્માતમાં 9ને કચડી નાંખનાર નબીરો તથ્ય પટેલ, પિતાનો પણ ગુનાઇત ઇતિહાસ

Webdunia
ગુરુવાર, 20 જુલાઈ 2023 (10:12 IST)
અમદાવાદમાં જાણીતા એસજી હાઇવે પર આવેલા ઈસ્કોન બ્રિજ પર કાર અકસ્માત સર્જનાર યુવાનની ઓળખ સામે આવી છે, આ યુવાનનું નામ તથ્ય પટેલ છે. અહેવાલ અનુસાર કારમાં આ યુવાનની સાથે બે યુવતીઓ પણ સવાર હતી. તપાસ દરમ્યાન કારમાંથી પર્સ પણ મળી આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કાર ચાલક તથ્ય પટેલનો પિતા પ્રગ્નેશ પટેલ એ કુખ્યાત આરોપી છે. તેના પિતા સામે દુષ્કર્મનો પણ આરોપ છે. તો બીજી તરફ તથ્ય પટેલા પિતા વિરુદ્ધ સંખ્યાબંધ ગુનાઓ નોંધાયા છે. 
 
ગોતા વિસ્તારના કુખ્યાત વ્યક્તિનો છે દીકરો 
માહિતી અનુસાર આ અકસ્માત સર્જનાર નબીરો ગોતા વિસ્તારના કુખ્યાત વ્યક્તિ પ્રજ્ઞેશ પટેલનો દીકરો છે. તેણે જ્યારે આ અકસ્માત સર્જ્યો ત્યારે તેની કારની ઝડપ આશરે 160 કિ.મી.ની આજુબાજુ હતી. અકસ્માત વખતે તથ્ય પટેલ જ ગાડી હંકારતો હોવાનું સામે આવ્યું છે. તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે 2020માં રાજકોટમાં એક સામૂહિક દુષ્કર્મની ઘટનામાં સામેલ હોવાનો આરોપ લાગ્યો હતો. તેને અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે તે સમયે પકડી પાડ્યો હતો. મૃતકાંક વધી શકે છે, સરકારે કરી સહાયની જાહેરાત 
 
માહિતી અનુસાર ઈસ્કોન બ્રિજ પર અકસ્માત એટલો ગંભીર હતો કે લોકો 30 ફૂટ જેટલા દૂર ફંગોળાયા હતા. આ કારણે ઘાયલોની સંખ્યા પણ વધુ હોવાથી મૃતકાંક વધી શકે છે. બીજી બાજુ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વિટ કરી હતી કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે. 
Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments