Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈ- અમદાવાદ વચ્ચે 22થી 25 નવેમ્બર સુધી હેરિટેજ ટ્રેન ચલાવશે

Webdunia
બુધવાર, 20 નવેમ્બર 2019 (11:42 IST)
અમદાવાદ શહેરમાં સાપ્તાહિક હેરિટેજ વીકની ઉજવણીના ભાગરૂપે ભદ્રના કિલ્લો, એલિસબ્રિજ, માણેકબુર્જ, આસ્ટોડિયા દરવાજા, રાયપુર દરવાજા, કાલુપુર મંદિર જેવા હેરિટેજ સ્થળોને રોશનીથી શણગારાયા છે. 25 નવેમ્બર સુધી હેરિટેજક વીક ઉજવાશે. 1411માં અહેમદ શાહ બાદશાહે ભદ્રનો કિલ્લો બાંધ્યો હતો. નગરદેવી ભદ્રકાળી મંદિરના કારણે આ કિલ્લાને ભદ્રનો કિલ્લો કહેવાય છે. મ્યુનિ.-પુરાતત્ત્વ વિભાગે 2014માં કિલ્લાનું રિનોવેશન કર્યું હતું. અમદાવાદના ઈતિહાસ સાથે ઘણી બધી લોકવાયકા જોડાયેલી છે. ભો.જે. વિદ્યાભવનના પૂર્વ નિયામક રામજી સાવલિયાનું કહેવું છે કે, ભદ્રના મંદિરની લક્ષ્મીજીની પ્રતિમા સ્થાપિત થયેલી છે. આજે પણ ભદ્રના કિલ્લા પર લક્ષ્મીજીના હાથની છાપ જોવા મળે છે. અહીંના વેપારીઓ આજે પણ આ હાથને ફૂલહાર કરી તેમજ અગરબત્તી અને દીવા કરી ધંધો ચાલુ કરે છે. અમદાવાદ સહિત દેશભરમાં મંગળવારથી હેરિટેજ વીકની ઉજવણી શરૂ થઈ છે. આઈઆરસીટીસી 22થી 25 નવેમ્બર સુધી મુંબઈથી અમદાવાદ વિશેષ હેરિટેજ સ્પેશિયલ ટ્રેન દોડાવશે પ્રવાસીઓને ગુજરાતની સંસ્કૃતિની સાથે પાટણની રાણકી વાવ, મોઢેરા સૂર્ય મંદિર, અમદાવાદના હેરિટેજ સ્થળો, સ્ચેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત કરાવાશે. 22મીએ મુંબઈથી ઉપડ્યા બાદ આ વિશેષ ટ્રેનના પ્રવાસીઓને યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત જાહેર કરાયેલા રાણકી વાવ અને મોઢેરાના સૂર્યમંદિરની મુલાકાત કરાવવામાં આવશે. ત્યારબાદ અમદાવાદના વિવિધ હેરિટેજ સ્થળોની મુલાકાત કરાવી પ્રવાસીઓને ચાંપાનેર, પાવાગઢ આર્કિયોલોજિકલ પાર્ક લઈ જવામાં આવશે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments