Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 મહિનાથી અંબાણી પરિવાર જામનગરના રિલાયન્સ ટાઉનશિપ બંગ્લોઝમાં થયો શિફ્ટ, જાણો કેમ

Webdunia
ગુરુવાર, 15 એપ્રિલ 2021 (18:39 IST)
દેશના દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણીનું મુંબઇ સ્થિત એંટીલિયા હાલ ચર્ચામાં છે. એંટીલિયાની બહાર વિસ્ફોટક ભરેલી કાર મળવાની તપાસ એનઆઇએ કરી રહી છે, જેમાં દરરોજ નવા ખુલાસા થયા છે. તો બીજી તરફ સમાચાર મળી રહ્યા છે કે અંબાણી પરિવાર ગત એક મહિનાથી એંટીલિયામાં નથી. 
 
સૂત્રો દ્રારા મળતી માહિતી અનુસાર સમગ્ર પરિવાર હાલ ગુજરાતના જામનગરના રિલાયન્સ ટાઉનશિપ બંગ્લોસમાં છે. જોકે સત્તાવાર રીતે પુષ્ટિ થઇ નથી, પરંતુ સુત્રોએ જણાવ્યું હતું કે ટાઉનશિપ બહાર જોરદાર સુરક્ષા વ્યવસ્થા છે  પરિવાર અહી  રહે છે. તેની પાછળનું કારણ તે પ્રકરણ અથવા કોરોના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 
તમને જણાવી દઇએ કે 25 ફેબ્રુઆરીના રોજ એંટીલિયાની બહાર વિસ્ફોટક ભરેલી કાર મળી હતી. જેમાં વિસ્ફોટક પદાર્થ અને એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. તે કેસમાં એનઆઇએએ મહારાષ્ટ્ર પોલીસના એપીઆઇ સચિન વઝેની ધરપકડ કરી છે અને તેની તપાસ મહારાષ્ટ્ર સરકાર સુધી પહોંચી ગઇ છે. તો બીજી તરફ દરરોજ ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. માનવામાં આવી રહ્યું ચેહ કે તેના લીધે પરિવાર એંટીલિયા છોડીને જામનગર આવી ગયો છે.
 
અંબાણી પરિવારનું જામનગરમાં હોવાને લઇને બીજી ચર્ચા એ છે કે મહારાષ્ટ્રમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસના લીધે પરિવાર જામનગર આવી ગયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

આગળનો લેખ
Show comments