Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાથી બેખૌફ - રવિવારે પાવાગઢમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

કોરોનાથી બેખૌફ - રવિવારે પાવાગઢમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા  સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
Webdunia
સોમવાર, 12 ઑક્ટોબર 2020 (08:15 IST)
સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને ગુજરાતમાંથી કોરોનાના કેસ વધે નહી એ માટે ગુજરાત સરકારે છેવટે શેરીઓના ગરબાઓને પણ મંજુરી નથી આપી. પરંતુ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે જે રીતે લોકોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા તેને જોઈને લાગે છે કે નવરાત્રીના નવ દિવસ શુ થશે. લોકો ભક્તિમાં ખુદના સ્વાસ્થ્યને જોખમમાં મુકવાની ભૂલ કેવી રીતે કરી શકે.   મોટી સંખ્યામાં ઉમટી પડેલા યાત્રિકોને લઈ પાવાગઢ ખાતે તેમજ મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં ભારે મુશ્કેલી પડી હતી. મંદિર વહીવટી તંત્ર દ્વારા કાળજી રાખવામાં આવેલા હોવા છતાં યાત્રિકોમાં ધસારો હોવાને કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. મોટાભાગના લોકોએ માસ્ક પણ પહેર્યા નહોતા. 
 
કોરોના વાયરસની મહામારીમા રાજ્ય સરકારની ગાર્ડન મુજબ યાત્રાધામો તેમજ મંદિરોમાં ભક્તોને માતાજીના દર્શન કરવાની છૂટછાટ આપવામાં આવી છે. જેમાં મંદિર ટ્રસ્ટ તેમજ યાત્રિકોએ પણ સરકારી ગાઇડલાઇન મુજબ નીતિ નિયમોનું પાલન કરવાનું હોય છે. જેમાં રવિવારની રજાને લઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રિ પહેલા જ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. 
 
એક બાજુ સરકાર કોરોના કેસને ઘટાડવા માસ્ક વગર પહેરનારને દંડ કરી રહી છે પરંતુ મંદિરમાં શુ માસ્ક વગર દર્શન કરવાની છૂટ છે ? લોકોની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને મંદિર અનલોક કરવામાં આવ્યા છે પરંતુ જો ભક્તો પરિસ્થિતિને સમજે નહી અને બધુ ભગવાન ભરોસે છોડીને આ રીતે મંદિરોમાં નીકળી પડતા હોય તો ખરેખર સરકારે મંદિરોને પરત બંધ કરી દેવા જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું તમે પણ વાસણો ધોતી વખતે આ ખતરનાક ભૂલ કરો છો? જાણો આ બાબતો

Moral Story - નાસ્તિક રાહુલ

નાગૌરી પુરી રેસીપી

સવારે ઉઠીને પી લો આ દેશી ચા, હાર્ટની સમસ્યાઓ રહેશે દૂર, કરિયાણાની દુકાનમાંથી આજે જ ખરીદો આ લાકડી

Gol Dhana Ceremony- ગોળ ધાણા વિધિ

વધુ જુઓ..

નવીનતમ

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

ગુજરાતી જોક્સ - મૂર્ખ બનાવી રહ્યો છે

ગુજરાતી જોક્સ - હોસ્પિટલમાં દાખલ

એઆર રહેમાનને થોડા જ કલાકોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, ડિહાઇડ્રેશનને કારણે નબળા પડી ગયા હતા, પુત્રએ આપ્યું હેલ્થ અપડેટ

એઆર રહેમાનને અચાનક છાતીમાં દુખાવો થયો, ગાયક હોસ્પિટલમાં દાખલ છે.

આગળનો લેખ
Show comments