Festival Posters

ડ્રાઈવિંગ કરતી વેળા મોબાઈલના ઉપયોગથી ગુજરાતમાં મૃત્યુના પ્રમાણમાં 217%નો વધારો

Webdunia
ગુરુવાર, 21 નવેમ્બર 2019 (13:11 IST)
વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાતો કરવાથી ગુજરાતમાં 187 માણસો મૃત્યુ પામ્યા હતા. 2016માં આ કારણે 54 અને 2017માં 59ની સામે ગત વર્ષે મોબાઈલ પર વાતો કરવામાં વ્યસ્ત રહેવાથી જાન ગુમાવનારાની સંખ્યા 200% વધી છે.
મોબાઈલ ફોન પર વાતચીતમાં રોકાયેલા હોવાથી સર્જાતા અકસ્માતમાં મૃત્યુ સંખ્યાની દ્દષ્ટિએ ગુજરાત દેશમાં 6ઠ્ઠા સ્થાને છે. 2018માં મોબાઈલ ફોન પર વ્યસ્ત હોવાના કારણે ધ્યાન ભટકાતા રાજયના રસ્તાઓ પર અકસ્માતના 460 બનાવો નોંધાયા હતા.
વિચિત્રતા એ છે કે લાલ બતી હોવા છતાં વાહન ન થોભાવાથી થયેલા અકસ્માતોમાં જાનહાનીની 29% અને રોંગસાઈડમાં વાહન ચલાવવાની થતા 37% મૃત્યુ સામે કુલ અકસ્માતોમાં મોબાઈલથી જાનહાનીનું પ્રમાણ 40% હતું.
રોડ સેફટી નિષ્ણાંતો જણાવે છે કે ડ્રાઈવીંગ કરતી વખતે ફોન પર વાતચીત કરવી જોખમી છે. ઘણાં ડ્રાઈવરો એક સીટમાં ફોન ઝાલી રાખી બીજા સાથે સ્ટિયરીંગ સંભાળે છે. અભ્યાસોમાં જણાવાયું છે કે ફોન પર વાતચીતથી ધ્યાનભંગ થવાના કારણે ડ્રાઈવર અવારનવાર લાઈન બદલે છે અથવા અણધારી રીતે વાહન ચલાવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું સૂરજની રોશનીથી ડાયાબીટીસ કંટ્રોલ થઈ શકે છે, જાણી લો Diabetes ને કંટ્રોલ કરવાની રીત

Hair Care: સફેદ વાળથી છો પરેશાન ? નારિયળ તેલમાં મિક્સ કરીને લગાવો આ એક વસ્તુ, વાળ થશે જડથી કાળા અને ઘટ્ટ

બાફેલા ઈંડાની સેન્ડવિચ કેવી રીતે બનાવવી?

Hindu Baby Girl Names DH letter: ભારતીય સંસ્કૃતિમાં, બાળકનું નામ ફક્ત એક ઓળખ જ નથી, પરંતુ તેના વ્યક્તિત્વ, મૂલ્યો અને ભવિષ્યનું પ્રતિબિંબ પણ છે. ખાસ કરીને હિન્દુ ધર્મમાં, જ્યોતિષ, મૂળાક્ષરો અને આધ્યા

1 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવો આમળા પાવડર, મળશે ફાયદા જ ફાયદા, બીમારીઓ રહેશે દૂર

વધુ જુઓ..

નવીનતમ

સલમાન ખાન બન્યા સુરતનાં મેહમાન, એક ઝલક માટે ફેન્સની પડાપડી

રાજામૌલીની 'વારાણસી'ની રિલીઝ ડેટ થઈ જાહેર, મહેશ બાબુ-પ્રિયંકા ચોપરા આ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ગૌરવ ખન્ના અને આંકાક્ષા ચલોમાંનો સબંધ તૂટ્યો, 10 વર્ષના લગ્નજીવનનો અંત ? આંકાક્ષાની પોસ્ટ જોઈને ફેંસ થયા નિરાશ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આગળનો લેખ
Show comments