Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોશિયલ મીડિયાના દુરૂપયોગ પર ગુજરાત સરકારની ઘોંસ, લાવશે કાયદો

Webdunia
સોમવાર, 7 ઑગસ્ટ 2017 (14:58 IST)
ગુજરાત સરકાર હવે સોશિયલ મીડિયાના દુરુપયોગ પર નિયંત્રણ કસવા નવો કાયદો લાવી રહી છે. આ કાયદો લાગુ થયા પછી ઓથોરિટી ‘આપત્તિજનક સામગ્રી’ને સોશ્યિલ મીડિયા પર અપલોડ કરવા પર કાર્યવાહી કરી શકે છે. સરકાર હાલ બિલનો ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. એવી શક્યતા છે કે આ બિલ 8 ઓગસ્ટથી શરૂ થતાં વિધાનસભાના બે દિવસના મોનસુન સત્રમાં રજૂ કરવામાં આવશે.કેટલાક લોકોએ બિલનો એવું કહીને વિરોધ કર્યો છે કે સરકાર અભિવ્યક્તિની આઝાદી પર પ્રતિબંધ લગાવવા ઇચ્છે છે. આ સાથે જ સરકાર આ કાયદાનો ઉપયોગ રાજનૈતિક ફાયદા માટે કરવા ઇચ્છે છે. એક રિપોર્ટ મુજબ બિલમાં એવા લોકો સામે કાનૂની કાર્યવાહી કરવાનો ઉલ્લેખ છે. જે પોતાની સોશ્યિલ મીડિયા પોસ્ટ દ્વારા ધાર્મિક અને સામાજિક ભાવનાઓને ભડકાવે છે. નવા નિયમ અનુસાર પોલીસ પાસે એવો અધિકાર હશે કે તે કોઇપણ વ્યક્તિની ધરપકડ કરી શકશે. જે સોશ્યિલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ શૅર કરે છે. આ સાથે જ કાયદામાં એકથી ત્રણ વર્ષની સજાની જોગવાઇ કરવામાં આવશે. જોકે, આ સંબંધિત આઇટી એક્ટ અને આઇપીસી એક્ટ છે. પરંતુ નવો કાયદો આવતાં પોલિસ પાસે વધારે પાવર રહેશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

ગુજરાતી જોક્સ - વીમા કંપની

વધુ જુઓ..

નવીનતમ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

આગળનો લેખ
Show comments