Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના અને મ્યુકોરમાઈકોસિસના હાહાકાર વચ્ચે બાળકોમાં MIS-C રોગ થી વાલીઓમાં ભય ફેલાયો

Webdunia
સોમવાર, 31 મે 2021 (13:58 IST)
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ સંક્રમિત થઇ શકે છે તેવી વૈજ્ઞાાનિકોએ ભીતિ વ્યક્ત કરી છે. જોકે,સંભવિત ત્રીજી લહેર અગાઉ જ પશ્ચિમ દેશોના રોગે હવે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે.તબીબી ભાષામાં આ રોગને મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેન્ટ્રી સિન્ડ્રોમ ( MIS-C  ) કહે છે. કોરોનાને માત આપનારાં બાળકો હવે MIS-C  રોગનો શિકાર બની રહ્યાં છે. છેલ્લાં એકાદ મહિનામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ય MIS-C  રોગથી સંક્રમિત પાંચેક બાળકોએ સારવાર લીધી છે.

ગુજરાતમાં કોરોનાના કેસો મોંડ માંડ ઘટી રહ્યાં છે જેથી લોકોએ હાશકારો અનુભવ્યો છે. કોરોના બાદ મ્યુકર માઇકોસિસના રોગે પણ ગુજરાતમાં માઝા મૂકી છે. આ રોગના કેસો વધી પણ ચિંતાજનક હદે વધી રહ્યાં છે. સંભવિત ત્રીજી લહેર આવે તે પહેલાં હવે મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેન્ટ્રી સિડ્રોમ ( MIS-C  ) રોગે દેખા દીધી છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપરિટેન્ડેન્ટ અને બાળરોગ નિષ્ણાત ડો.રાકેશ જોશીનું કહેવુ છેકે, કોરોના મટયા બાદ બાળકોમાં MIS-C  રોગ દેખાયો છે. આ પોસ્ટ કોવિડ રોગ ગણાય છે.એક વર્ષથી માંડીને 18 વર્ષના બાળકને આ રોગ થઇ શકે છે. જે બાળકની ઇમ્યુનિટી વધુ હોય તેને આ રોગ અસર કરતો નથી. ખાસ કરીને  મેદસ્વિતા સહિત કો- મોર્બિટ બાળકોને વધુ જોખમ રહેલુ છે.

કોરોના મટયા બાદ બાળકો તાવ આવે,શરીર પર લાલ ચકામાં પડે , નબળાઇ આવે, ઝાડા-ઉલ્ટી થાય.પેટમાં દુખાવો થાય,શ્વાસ લેવામાં મુશ્કેલી થાય.આ બધાય MIS-C  રોગના લક્ષણો છે. કોરોના બાદ જો બાળકને આવા લક્ષણો જોવા મળે તો માતાપિતાએ તુરત જ બાળરોગ નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ. છેલ્લાં એકાદ મહિમાં MIS-C  રોગથી સંક્રમિત પાંચ બાળ દર્દીઓ સિવિલમાં દાખલ થયા હતાં. આ બાળ દર્દીઓ પૈકી અત્યારે માત્ર એક જ બાળ દર્દી સારવાર હેઠળ છે.  નિષ્ણાત તબીબોના મતે, મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેન્ટ્રી સિડ્રોમ ( MIS-C  ) કોરોના ન થયો હોય તેવા બાળકને પણ થઇ શકે છે.વાલીઓએ સચેત થવાની જરૂર છેકે, શાળાએ જતાં બાળકોને માસ્ક જરૂર પહેરાવે અને કાળજી રાખે. જો મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેન્ટ્રી સિડ્રોમની ગંભીર અસર થાય તો, બાળ દર્દીને ઓક્સિજન જ નહી,વેન્ટિલેટરથી સારવાર આપવી પડે છે. આમ, ત્રીજી લહેર અગાઉ જ બાળકોમાં મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેન્ટ્રી સિડ્રોમ ( MIS-C  ) રોગ દેખા દેતા  વાલીઓમાં ચિંતાનો માહોલ પ્રવર્તી રહ્યો છે. મેમનગરની એક ખાનગી હોસ્પિટલમાં જન્મના 12 કલાકમાં બાળકને મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેન્ટ્રી સિડ્રોમ (MIS-C) રોગ થયા હોવાનુ નિદાન થયુ હતું. ઉલ્લેખનીય છેકે, દોઢ મહિના અગાઉ માતાને કોરોના થયો હતો જેના કારણે નવજાત શિશુને મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેન્ટ્રી સિડ્રોમ રોગ થયા હોવાનું તબીબોનું કહેવુ છે. હાલ આ નવજાત શિશુ આઇસીયુમાં ઓક્સિજન પર છે. નવજાત શિશુને તાવ ઉપરાંત ઓક્સિજન લેવલ ઓછુ હતુ.
 
મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેન્ટ્રી સિડ્રોમ (MIS-C)ના લક્ષણો
 
તાવ આવે
 
શરીર પર લાલ ચકામાં પડે 
 
નબળાઇ આવે
 
ઝાડા-ઉલ્ટી થાય
 
પેટમાં દુખાવો થાય
 
શ્વાસ લેવામાં મુશ્કેલી થાય

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments