Biodata Maker

મિનિ કુંભમેળાનાં પ્રારંભ પહેલાં જ લૂંટના ઈરાદે રશિયન યુવતીઓ પર ઘાતકી હુમલો કરાયો

Webdunia
સોમવાર, 25 ફેબ્રુઆરી 2019 (12:30 IST)
ભારતમાં અતિથિ દેવો ભવની ભાવનામાં માનતો દેશ છે. હાલ કુંભ મેળાને કારણે ભારતમાં અનેક વિદેશી પ્રવાસીઓ આવેલા છે. ત્યારે પારકા દેશમાં ફરવા આવતા વિદેશીઓને આપણા દેશમાં ફરવા આવતા વિદેશીઓને ક્યારેક એવા કડકા અનુભવ થતા હોય છે. અનેક વિદેશીઓ સાથે લૂંટનો બનાવ બનતો હોય છેજૂનાગઢમાં એક તરફ શિવરાત્રીના મીની કુંભ મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે બીજી તરફ ગિરનાર પર્વત પર 2 રશિયન મહિલાઓ પર ઘાતકી હુમલો કરી લૂંટનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. મેળાની તૈયારી વચ્ચે આ પ્રકારની ઘટના બનલા સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.ઘટનામાં ઘાયલ થયેલી એક વિદેશી યુવતીને જૂનાગઢ પોલીસે હાલ સારવાર અપાવી રાજકોટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી હતી. ઘટનાની વિગત અનુસાર સોમવારે 2 રશિયન મહિલા જૂનાગઢ ફરવા માટે આવી હતી. ત્યારે ગીરનાર પર્વત પર ચડતા સમયે ત્રણેક જેટલા ઈસમોએ મહિલાનું બેગ છીનવવાનો પ્રયાસ કર્યો હતો અને મહિલાઓ પર ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં એક મહિલાને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેને બુમાબુમ કરતાં લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા.  બંને યુવતીઓએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી હતી. બંને મહિલાઓએ પોલીસને આપેલા નિવેદનમાં ત્રણ હુમલાખોરો પૈકી એક શખ્સે કાળો અને બીજાએ લાલ રંગનો શર્ટ પહેર્યો હોવાનું જણાવ્યું હતું.  હાલ પોલીસે મહિલાઓના નિવેદનનાં આધારે તપાસ શરૂ કરી છે. આ સાથે જ પોલીસે ઘાયલ મહિલાને સારવાર અપાવી રાજકોટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વધેલો ભાત ખાવાથી શું થાય ? જાણો વાસી ભાત સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને તેનું સેવન કરવાની યોગ્ય રીત

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

Republic Day 2026 Wishes : ગણતંત્ર દિવસ 2026 ની શુભેચ્છા

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

વધુ જુઓ..

નવીનતમ

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

ધર્મેન્દ્રને મળ્યો પદ્મ વિભૂષણ તો ભાવુક થઈ હેમા માલિની, ફોટો શેર કરીને વ્યક્ત કરી ખુશી

Pehle Bharat Ghumo - આ પાંચ ભારતીય સ્થળ દુનિયાભરમાં છે પ્રસિદ્ધ, વિદેશી પર્યટકોની રહે છે ભીડ

અચલેશ્વર મહાદેવ મંદિર: જ્યાં શિવલિંગ રંગ બદલે છે, જાણો તેના વિશે

બોર્ડર 2 પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેની કમાણી પર કોઈ અસર પડી ન હતી,

આગળનો લેખ
Show comments