Webdunia - Bharat's app for daily news and videos

Install App

થરાદમાં સામૂહિક આપઘાતનો બનાવ, મહિલાએ ચાર બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું, ત્રણના મોત

થરાદમાં સામૂહિક આપઘાતનો બનાવ  મહિલાએ ચાર બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું  ત્રણના મોત
Webdunia
શનિવાર, 17 જુલાઈ 2021 (15:49 IST)
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની કેનાલ હવે મોતની કેનાલ બની રહી છે. વારંવાર લોકો અગમ્ય કારણોસર કેનાલમાં પડી આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે આજે એક મહિલાએ તેનાં ચાર બાળકો સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું, જેમાં બે બાળક અને માતાનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી પસાર થતી કેનાલ ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બની છે. આ આશીર્વાદરૂપ કેનાલ અહીંના લોકો માટે સુસાઇડ પોઈન્ટ બની ગયો છે. થરાદમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં આજે ચોથાનેસડા ગામની મહિલાએ અગમ્ય કારણોસર ચાર બાળક સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. નર્મદાની મુખ્ય કેનાલમાં માતાએ પોતાનાં ચાર બાળકો સાથે ઝંપલાવતાં આજુબાજુના લોકો તેમજ સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા.સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક ધોરણે કલાકો સુધી બચાવ કામગીરી હાથ ધરતાં બે બાળકોને આબાદ બચાવ થયો છે, જ્યારે માતા અને બે બાળકનું ડૂબી જવાથી મોત થયું હતું. સ્થાનિક લોકો તેમજ નર્મદા કેનાલમાં આત્મહત્યા કરતા અનેક લોકોને બચાવનાર તરવૈયા સુલતાન મીરે દ્વારા આ સમગ્ર બચાવ કામગીરી કરવામાં આવી હતી, જેમાં બે બાળકનો આબાદ બચાવ થયો હતો, જ્યારે માતા તેમજ અન્ય બાળકોનાં મોત થયાં છે. તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

ગુજરાતી લગ્ન પીઠી રીત

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

વધુ જુઓ..

નવીનતમ

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

આગળનો લેખ
Show comments