Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mass suicide - જૂનાગઢમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, ઝેરી દવા ગટગટાવતાં પતિ,પત્ની અને દીકરાનું મોત

Webdunia
શુક્રવાર, 11 ઑગસ્ટ 2023 (23:04 IST)
Mass suicide attempt in Junagadh
દીકરીની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે
 
પરિવારે કૌટુંબિક ઝગડાના કારણે જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તારણ
 
જૂનાગઢઃ જિલ્લાના વંથલી તાલુકામાં એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. આખા પરિવારે ઝેરી દવા ગટગટાવીને જીવન ટુંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે. આ ઘટનામાં પતિ,પત્ની અને દીકરાનું મોત નિપજ્યું છે.જ્યારે દિકરીની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. પોલીસે આ ઘટનાને લઈને તપાસ શરૂ કરી દીધી છે. 
 
દીકરીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે જિલ્લાના વંથલી તાલુકામાં સાંતલપુર ધાર ગામે એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. પરિવારમાં માતા-પિતા તથા દીકરા-દીકરીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેમાં માતા-પિતા સહિત દીકરાનું મોત નીપજ્યું છે. જ્યારે દીકરીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 
 
માતા-પિતા સહિત દીકરાનું મોત નીપજ્યું
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં માતા-પિતા સહિત દીકરાનું મોત નીપજ્યું હતું. જ્યારે દીકરીને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. દીકરી ગંભીર રીતે અસરગ્રસ્ત હોવાથી હાલ તેની હાલત નાજુક છે. પોલીસને પ્રાથમિક તારણ મળ્યા પ્રમાણે આ પરિવારે કૌટુંબિક ઝઘડાને કારણે આપઘાત કર્યો હોવાનું માલુમ પડ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Aman Jaiswal Death: ટીવી અભિનેતાનુ 23 વર્ષની વયે મોત, બલિયામાં થશે અંતિમ સંસ્કાર

Arjun Kapoor ની સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત પડવાથી 6 લોકો થયા ઘાયલ

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

વધુ જુઓ..

નવીનતમ

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

આગળનો લેખ
Show comments