Webdunia - Bharat's app for daily news and videos

Install App

MPની ચૂંટણી જીતવા 23 સિંહોનો ભોગ લેવાયો, પરેશ ધાનાણીએ સરકાર પર લગાવ્યો આરોપ

Webdunia
સોમવાર, 8 ઑક્ટોબર 2018 (10:43 IST)
ગીરમાં અત્યાર સુધી કુલ 23 સિંહના મોત થયા છે. તો આ મામલે રાજ્ય સરકારની ટીકા પણ થઈ રહી છે. બીજીતરફ આજે ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને કહ્યું કે, મધ્યપ્રદેશની ચૂંટણી જીતવા માટે ગુજરાતના 23 સિંહોનું બલિદાન લેવામાં આવ્યું છે. 
વિપક્ષ નેતાએ પોતાના ટ્વીટમાં તંત્ર પર ખોરાકમાં ઝેર ભેળવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે સિંહોના મોતને એક ષડયંત્ર ગણાવ્યું છે.  પરેશ ધાનાણીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, બબ્બર શેરોની શહિદી કે ષડયંત્ર.. તંત્ર દ્વારા પિરસાયેલ રોગિષ્ઠ ખોરાકથી બલિ ચડીને શહીદ થયેલા બબ્બર શેરોને સલામ. ગુજરાતના ગૌરવવંતા બબ્બર શેરને મધ્યપ્રદેશમાં ધકેલીને ચૂંટણીમાં રાજકીય રોટલા સેકવા માટે 23થી વધુ સિંહોને સરકારે લાશોના ઢગલા પર બલિ ચઢાવી છે. 
જૂનાગઢમાં જામવાળા એનિમલ કેર સેન્ટરમાં બિમાર સિંહની સારવાર ચાલી રહી છે ત્યારે અમેરિકાથી સિંહોની સારવાર માટે વેક્સિન મંગાવવામાં આવી જેને મુંબઇથી રાજકોટ લાવવામાં આવી છે. રાજકોટથી વેક્સિનને જૂનાગઢ અને ત્યાર બાદ જામવાળા એનિમલ કેર સેન્ટર લઇ જવામાં આવશે. સિંહને વેક્સિન આપવા માટે નિષ્ણાંત દ્વારા સૂચન પણ આપવામાં આવ્યું. અમેરિકાથી લાવવામાં આવેલા વેક્સિનને આપવા માટે શક્કરબાગ ઝૂના ડિરેક્ટર પણ આવી પહોંચ્યા હતા. અમેરિકાથી 300 વેક્સિન સિંહો માટે મંગાવવામાં આવી છે. જેને માઇનસ 16 ડિગ્રી ટેમ્પરેચરમાં રાખવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

વરિષ્ઠ નાગરિકો માટે સુપરહિટ Post Office ની આ સ્કીમ 5 વર્ષમાં માત્ર વ્યાજથી કમાવી લેશો 12 લાખ

પિતાના અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ ? કોણ છે સના મલિક, જેમને અજીત પવારે અણુશક્તિ નગરમાંથી આપી ટિકિટ

ચક્રવાત ‘Dana’ નો કહેર ટ્રેનો પર પણ, રાજધાની-શતાબ્દી એક્સપ્રેસ સહિત 150થી વધુ ટ્રેન કેંસલ

Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય

Hyderabad News Video : કૂતરાને પકડવા યુવકે લગાવી દોડ,ત્રીજા માળેથી પડતા મોત

આગળનો લેખ
Show comments