Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપનીને ઝટકો, બે કર્મચારીઓએ 40 કરોડનુ નુકસાન કરાવ્યું

Webdunia
મંગળવાર, 1 ઑગસ્ટ 2023 (14:48 IST)
Khodaldham chairman Naresh Patel's company
બે કર્મચારીઓએ બેરિંગ અને સ્પેરપાર્ટસની ડિઝાઈનના લોગો બદલી અન્ય કંપનીને વેચ્યા
લોધિકા પોલીસે છેતરપિંડી અને કૉપિરાઇટ એક્ટના કાયદા હેઠળ ફરિયાદ નોંધી
 
Rajkot News -  હાલમાં બિઝનેસની હરિફાઈમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના બનાવો વધી રહ્યાં છે. રાજકોટ જિલ્લાના લોધિકા પોલીસ સ્ટેશનમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપની દ્વારા બે કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવાઈ છે.આ ફરિયાદમાં બંને કર્મચારીઓના કારણે કંપનીને 40 કરોડનું નુકસાન થયું હોવાનું જણાવાયું છે. કંપની દ્વારા કર્મચારીઓએ ડિઝાઈનનો લોગો બદલી અન્ય કંપનીને વચ્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે.  
 
ડિઝાઈનના લોગો બદલી અન્ય કંપનીને વેચ્યા
મેટોડા સ્થિત PBW બેરિંગ્સ કંપનીએ ફરિયાદ નોંધાવી છે કે, ચિંતન અને ભાવેશ નામના બે કર્મચારીઓએ બેરિંગ અને સ્પેરપાર્ટસની ડિઝાઈનના લોગો બદલી અન્ય કંપનીને વેચ્યા છે. કંપનીના અમેરિકા સ્થિત ગ્રાહકોને જ ડિઝાઈન વેચવામાં આવી હતી. જે સમગ્ર મામલે લોધિકા પોલીસે છેતરપિંડી અને કૉપિરાઇટ એક્ટના કાયદા હેઠળ ફરિયાદ નોંધી છે. 
 
કંપનીમાં બેરિંગ અને સ્પેરપાર્ટસ તૈયાર થાય છે
ખોડલધામના ચેરમેન નરેશ પટેલની મેટોડા સ્થિત PBW બેરિંગ્સ કંપની આવેલી છે. જેમાં બેરિંગ અને સ્પેરપાર્ટસ બાનવામાં આવે છે. જેમાં તે કંપનીના કર્મચારીઓએ  ડિઝાઈનના લોગો બદલી વેચ્યાની ફરિયાદ નોધાઈ છે. જે સમગ્ર મામલે લોધીકા પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

IND vs PAK, Women's T20WC: ભારત અને પાકિસ્તાને લીધો મોટો નિર્ણય,

35 વર્ષથી સ્ટેજ પરભગવાન રામનું પાત્ર ભજવી રહેલા સુશીલ કૌશિકનું હાર્ટ એટેકથી મોત

સ્પીડમાં આવતા ડમ્પરે 3 મોટરસાઈકલને ટક્કર મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત...5 ઘાયલ

હોસ્ટેલમાં જમ્યા બાદ વિદ્યાર્થિનીઓની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ; તપાસમાં સત્ય બહાર આવશે

આગળનો લેખ
Show comments