Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાનો કહેર: શાસ્ત્રોના વિરૂદ્ધ રાત્રે અંતિમ સંસ્કાર કરવા પર બન્યા મજબૂર

Webdunia
ગુરુવાર, 15 એપ્રિલ 2021 (10:59 IST)
ગુજરાતમાં સતત એક અઠવાડિયાથી સ્મશાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. જેના લીધે કોવિડ 19 અથવા અન્ય રોગોના કારણે જીવ ગુમાવનાર લોકોના સંબંધીઓને તેમના અંતિમ સંસ્કાર માટે કલાકો રાહ જોવી પડે છે. અધિકારીઓએ ગુરૂવારે જણાવ્યું કે હિંદુ ધર્મમાં સામાન્ય રીતે સુરજ આથમ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવતા નથી, પરંતુ હાલ સ્મશાનોમાં લાશોની મોટી સંખ્યાના લીધે લોકોને રાતે પણ અંતિમ સંસ્કાર કરવા પડે છે.
 
સુરત શહેરમાં ઉમરા વિસ્તારમાં સ્મશાનમાં બે દિવસ પહેલાં રાતના સમયે એકસાથે 25 લાશના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. વડોદરામાં પણ સ્મશાનોમાં ભીડના લીધે લોકોને રાત્રે જ અંતિમ સંસ્કાર કરવા માટે મજબૂર થવું પડ્યું છે. વડોદરા નગર નિગમની સ્થાયી સમિતિના અધ્યક્ષ હિતેન્દ્ર પટેલે આ જાણકારી પીટીઆઇ-ભાષાને આપી હતી. 
સ્થિતિનો સામનો કરવા માટે અને સમયની બચત માટે અધિકારીઓએ કેટલાક સ્મશાનોમાં લોખંડની ચિતાઓની વ્યવસ્થા કરી છે. સાથે જ જે સ્મશાનોમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા, તેમને પણ ખોલવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં કેટલાક મૃતકોના પરિજનોએ દાવો કર્યો છે કે તેમને સ્મશાનમાં આઠ કલાકથી વધુ સમય સુધી રાહ જોવી પડી. અહીં બે મુખ્ય સ્મશાનો વાડઝ અને દુધેશ્વરમાં કેટલાક દિવસોમાં ભારે ભીડ જોવા મળી છે. 
 
વાડજ સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે ઉભેલા એક વ્યક્તિએ પત્રકારોને કહ્યું હતું કે સવારે 8 વાગ્યાથી બપોર સુધી સાત લાશ આવી છે. તેણે કહ્યું કે આપણા વારાની રાહ જોવી પડે છે. અમે અમારા સંબંધીના અંતિમ સંસ્કાર માટે સવારે જલદી આવ્યા હતા, જેના લીધે સાંજે અમારો વારો આવી શકે છે. અમદાવાદના દુધેશ્વર વિસ્તારના સ્મશાનમાં પણ લોકો આવી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments