Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત સરકારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા મુદ્દે શું કરી મોટી જાહેરાત?

Webdunia
મંગળવાર, 19 મે 2020 (16:07 IST)
ગુજરાત સરકાર દ્વારા ગઈ કાલે લોકડાઉન-4ને લઈને વેપાર-ધંધા ઉપરાંત પણ ઘણી છૂટછાટ આપી છે. ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ સિવાય તમામ જિલ્લામાં એસ.ટી. બસો શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજે ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી છે.નાયબ મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપી હતી કે, રાજ્યના એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે પાસની જરૂર નથી. કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાય કોઈપણ નાગરિક વગર પાસે અન્ય જિલ્લામાં જઈ શકશે. ત્યારે હવે લોકોને ગુજરાતમાં પાસ વગર પરિવહન કરવાન છૂટ મળી ગઈ છે.નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ અને સુરત સિવાય રીક્ષામાં મુસાફરીને પણ પરવાનગી આપી છે. જોકે, રીક્ષામાં ડ્રાઇવર ઉપરાંત બે જ લોકો મુસાફરી કરી શકશે. આ ઉપરાંત કેબ સર્વિસને પણ મંજૂરી આપવામાં આવી છે, જેમાં ડ્રાઇવર ઉપરાંત બે લોકો મુસાફરી કરી શકશે. આ સિવાય ટુ વ્હીલરમાં એક વ્યક્તિને મંજૂરી આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી રૂપાણીએ એમ પણ જણાવ્યું હતું કે, હાલ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં જે છૂટછાટ આપવામાં આવી છે, તે કેસો વધવા લાગશે તો તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.

સંબંધિત સમાચાર

Summer Beauty tips- ઉનાડામાં આ રીતે રાખો સ્કીનને હેલ્દી

પરાઠા બનાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, દિવસ બની જશે ખાસ

બાળક માટે ઘરે જ બનાવો Cerelac જાણો રેસીપી

Zero Shadow Day- આજે ઝીરો શેડો ડે છે... બપોરે આ સમયે કોઈનો પડછાયો નહીં પડે! જાણો કેમ આવું થતું હશે?

Mirror Cleaning tips- અરીસાની સફાઈ માટે અજમાવો આ સરળ ટીપ્સ

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

ગોવિંદાની ભાણેજ આરતી સિંહની સંગીત સેરેમની Photos - ડાંસ કરતી જોવા મળી અભિનેત્રી, અંકિતા લોખંડે અને રશ્મિ દેસાઈ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

આગળનો લેખ
Show comments