Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં દેખાયેલા વાઘનો મૃતદેહ મળ્યો, મોત પાછળ જવાબદાર કોણ?

Webdunia
બુધવાર, 27 ફેબ્રુઆરી 2019 (14:25 IST)
ગુજરાતમાં એક શિક્ષકે વાઘને જોયો અને ત્યાર બાદ વનવિભાગની ટીમ હરકતમાં આવી બાદમાં આ વાઘ વનવિભાગે ગોઠવેલા નાઈટ વિઝન કેમેરામાં કેદ થયો એની સાથે જ ગુજરાત સરકારે વાઘનું રાજ્યમાં સ્વાગત છે એવા બણગા ફૂંક્યા. વાઘ માટે અવનવી ચર્ચાઓ થઈ. વન વિભાગ પણ તેની પાછળ રાત દિવસ એક કર્યાં પણ છેલ્લે થયું શું?  આ વાઘનો મૃતદેહ કહોવાયેલી હાલતમાં જોવા મળ્યો. આજે વન વિભાગને વાઘનો મૃતદેહ લુણાવાડાના કતાર જંગલમાંથી મળી આવ્યો હતો. વાઘનો શિકાર થયો? કે કોઇ બિમારીથી વાઘનો ભોગ લીધો? વગેરે જેવા સવાલોનો જવાબ આપવાની તસ્દી વન વિભાગના અધિકારીઓએ લીધી નથી. મધ્યપ્રદેશથી આવેલા વાઘને રાજ્યનો વન વિભાગ સાચવી શક્યો નથી.
મહીસાગરના બોરિયા ગામનો રોડ ક્રોસ કરતા વાધનો ફોટો સરકારી સ્કૂલના શિક્ષકે ગત 6ઠ્ઠી ફેબ્રુઆરીએ કેદ કર્યો હતો. ત્યારબાદ એક્શનમાં આવેલા વન વિભાગે જંગલોમાં વાઘને ખોરવા માટે નાઇટ વિઝન કેમેરા લગાવ્યા હતા. ગત 11મી ફેબ્રુઆરીએ સંતરામપુરાના સંત જંગલમાંથી વાધ પસાર થઇ રહ્યો હોવાના ફૂટેજ વન વિભાગને મળી આવ્યા હતા. કેમેરાની ફૂટેજો મળ્યા બાદ ગુજરાતમાં વાઘ હોવાની જાહેરાત વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ વાધ ક્યા છે? સુરક્ષિત છે કે નહીં? વગેરે જેવી કોઇ સત્તાવાર માહિતી વન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી નહતી.
વાઘનું લોકેશન જાહેર કરવું તે અસુરક્ષિત હોવાના બહાના વન વિભાગના અધિકારીઓ દ્વારા આગળ કરવામાં આવતા હતા. દરમિયાન લુણાવાડાના કતાર જંગલમાંથી આજે વાઘનો મૃતદેહ મળ્યો છે. આજે મહિસાગરના જંગલોમાંથી વાઘનો મૃતદેહ મળ્યો છે. વાધનો મૃતદેહ ડિકંપોઝ હાલતમાં મળી આવતા અનેક તર્કવિર્તક ચર્ચાઇ રહ્યા છે.
 
 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments