Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક વરસાદ : ૧૨ તાલુકાઓમાં ૪ ઈંચથી વધુ વરસાદ, માંગરોળમાં ૭ ઈંચ અને ખંભાળિયામાં ૬ ઈંચથી વધુ વરસાદ

Webdunia
ગુરુવાર, 2 સપ્ટેમ્બર 2021 (14:12 IST)
રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ૧૭૩ મી.મી. એટલે કે ૭ ઈંચ જેટલો, કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં ૧૬૬ મી.મી., દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર, જૂનાગઢ જિલ્લાના માળિયા, ગિર સોમનાથ જિલ્લાના તાલાલામાં ૧૬૩ મી.મી. અને દેવભૂમિદ્વારકાના ખંભાળિયા તાલુકામાં ૧૫૮ મી.મી. મળી કુલ ચાર તાલુકામાં ૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યા હોવાના અહેવાલો છે.
 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨ સપ્ટેમ્બર ૨૦૨૧ને સવારે ૬.૦૦ કલાક સુધીમાં ઉના તાલુકામાં ૧૨૪ મી.મી., પોરબંદરમાં ૧૨૩ મી.મી., રાણાવાવમાં ૧૦૮ મી.મી., જોડિયામાં ૧૦૨ મી.મી., ગિર ગઢડામાં ૧૦૧ મી.મી. અને વેરાવળમાં ૧૦૦ મી.મી. મળી  કુલ ૬ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
 
આ ઉપરાંત ગોંડલ, ચોટીલા, મુન્દ્રા, ગાંધીધામ, ઉંમરગામ, વઢવાણ, જામકંડોરણા અને લાલપુર મળી કુલ ૮ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ જ્યારે સુત્રાપાડા, ભાણવડ, સાયલા, ટંકારા, કોડિનાર, કુતિયાણા, કેશોદ, બાયડ, કાલાવાડ, મૂળી, કાલોલ, લોધિકા, ધ્રોલ, કોટડાસાંગાણી, માણાવદર, જામનગર, માંડવી, વાપી, ભૂજ, પડધરી, વાડિયા મળી કુલ ૨૨ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય ૨૭ તાલુકાઓમાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૮.૬૫ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૪૪.૯૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૩૭.૭૮ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૩.૪૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૭.૪૫ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૫૬.૧૪ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments