rashifal-2026

SPG અધ્યક્ષ લાલજી પટેલનું સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ

Webdunia
બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (12:32 IST)
ગુજરાત સરકાર સામે પાસ કન્વીનર હાર્દિક પટેલ ખેડૂતોના દેવામાફી અને પાટીદારને અનામત મુદ્દે ઉપવાસ પર છે ત્યારે એસપીજીએ સરકાર સામે રણશિંગૂ ફૂક્યું છે. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે મંગળવારે ઉગ્ર સૂરમાં સરકારને ૭૨ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો અમારી આઠ માંગણીઓ નહી સંતોષાય તો આગામી સમયમાં ગુજરાત સરકાર સામે ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે એવો લાલજી પટેલે લલકાર કર્યો છે.
પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફી મામલે પાસ કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા ૧૮ દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે ત્યારે તેના સમર્થનમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. હાર્દિકની તબીયત લથડતા સારવાર બાદ ફરી ઉપવાસ પર ઉતરતાં પાટીદારોમાં સરકારની નીતિ સામે પાટીદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 
આ સંજોગોમા હાર્દિક બાદ એસપીજી હવે મેદાનમાં આવ્યું છે.  છેલ્લા કેટલાક સમયથી ચૂપકીદી સેવી રહેલા એસ.પી.જી ગ્રુપના લાલજી પટેલે ચૂપકીદી ખોલી  છે અને સરકાર સામે ખુલ્લેઆમ રણશિંગુ ફ્ંક્યું છે. લાલજી પટેલે સરકારને ૭૨ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે નહી તો ઉગ્ર કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારી છે.
ગુજરાત સરકારને પાટીદાર સમાજની આઠ માંગણીઓનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવે અને હાર્દિકને પારણા કરાવવામાં આવે તે સહિતના મુદ્દે આગામી ૭૨ કલાકની લાલજી પટેલે અલ્ટીમેટર આપતાં ફરી પાટીદાર આંદોલનમાં ગરમાવો આવી ગયો છે. જો કે છેલ્લા કેટલાક સમયથી હાર્દિકના સમર્થન મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ ન કરતાં લાલજી પટેલે એકાએક સરકારને ૭૨ કલાકનું અલ્ટીમેટર આપતાં પાટીદાર આંદોલન વેગવંતુ બને તેવા અણસાર વર્તાઇ રહ્યા છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

વેલેન્ટાઇન ડે સ્પેશિયલ રેસીપી Heart Shape Pancake

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments