Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખામીભરેલી વિતરણ વ્યવસ્થાના કારણે દર વર્ષે નર્મદા યોજનાનું કરોડો લિટર પાણી કચ્છના નાના રણમાં વહી જાય છે

ખામીભરેલી વિતરણ વ્યવસ્થાના કારણે દર વર્ષે નર્મદા યોજનાનું કરોડો લિટર પાણી કચ્છના નાના રણમાં વહી જાય છે
Webdunia
બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (16:04 IST)
નર્મદા કેનાલનું કરોડો લિટર પાણી ક્ચ્છના નાના રણમાં વેડફાતું હોવાથી ભર શિયાળે ચોમાસા જેવો માહોલ ઉભો થયો છે. આ પાણી ખારાઘોડાથી શરૃ કરીને નિમકનગર સુધીના પ૦ કિમી જેટલા વિસ્તારમાં પથરાયેલું છે.એક બાજુ પાણી મૂલ્યવાન છે તેનો પ્રચાર કરવામાં આવે છે બીજી બાજુ કેનાલોમાંથી રણમાં વહી જતા પાણીને તંત્ર અટકાવી શકતું નથી.

પ્રાપ્ત માહિતી મુજબ રવીપાકોમાં ખેડૂતો પિયત કરી શકે તે માટે ઓકટોબરથી માર્ચ મહિના સુધી રણ પ્રદેશ પાસે માળિયા,મોરબી તરફની કેનાલ,વિરમગામ,પાટડી અને ઝીંઝુવાડા તરફની કેનાલોમાંથી પાણી છોડવામાં આવે છે.જો કે કેનાલોની અધૂરી અને નબળી કામગીરી તેમજ ખામી ભરેલી વિતરણ વ્યવસ્થા હોવાથી ખેડૂતો નર્મદાનું પાણી કુદરતી ખાડાઓ અને વોકળામાં સંગ્રહ કરીને મશીનો વડે ખેતર સુધી પહોંચાડે છે.કયાંક કાચા ધોરિયા કરીને ખેડૂતો પાકને પાણી આપે છે પરંતુ જરુરીયાત પુરી થઇ ગયા પછી ખેડૂતો પણ પાણી વહાવી દેતા હોવાથી ઓવરફલો થઇને રણમાં જમા થતું જાય છે.
આ અંગે એક સ્થાનિક ખેડૂતના જણાવ્યા મુજબ  એક ખેડૂત પાંચ વર્ષ સુધી એના ખેતરમાં પિયત કરી શકે તેટલું પાણી એક વર્ષમાં વેડફાય છે.દસાડા,માલવણ,ધાંગ્રધા અને માલવણ વિસ્તારના કેટલાય ગામોમાં નર્મદા યોજના ખાડા ભરો યોજના બની ગઇ છે.અન્ય એક ખેડૂત રણશીભાઇના જણાવ્યા મુજબ પિયત માટેનું પાણી દરેક પિયત મંડળીના છેવાડાના ખેડૂતો સુધી પહોંચાડવાનું હોય છે,પરંતુ નવાઇની વાત તો એ છે કે પિયત મંડળીઓ માત્ર કાગળ ઉપર જ બનાવવામાં આવી છે.આથી જે તે ગામની નજીકના ખાડાઓ અને વોકળામાં પાણી ભરીને ખેડૂતો મશીનો વડે પાણી પિવડાવે છે.આ ખાડાઓ અને વોકળાંમાંથી પાણી ઓવરફલો થઇને કરોડો લિટર પાણી રણમાં વહી રહયું છે.
એક બાજુ કરોડો લિટર પાણી વહી જાય છે અને બીજી તરફ અમદાવાદ જિલ્લા સહિતના ગુજરાતના ઘણાય વિસ્તારોમાં પીવાનું પાણી મળતું નથી, સિંચાઇની સગવડ મળતી નથી. હકીકતમાં આ બધી આયોજનની કમી છે. ચીન કે અન્ય દેશોમાં યોજનાનો ડેમ અને તેનું કેનાલ નેટવર્ક બધું એક સાથે પૂરું થતું હોય છે. એટલે સિંચાઇ યોજના શરૃ થાય તે સાથે જ છેવાડાના વિસ્તારોમાં પાણી મળવા માંડે છે. જયારે ગુજરાતમાં હજારો કિ.મી.ન કેનાલ નેટવર્કનું કામ જ બાકી છે. પરિણામે સિંચાઇ માટેનું પાણી દરિયા વહી જાય છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

એક અઠવાડિયા સુધી પીવો આ આદુનું પાણી, શરીર પર એવી અસર થશે કે તમે નવાઈ પામશો, આ રોગોમાં થશે ફાયદો

વધુ જુઓ..

નવીનતમ

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

Birthday Special - શશિ કપૂર વિશે 10 રોચક જાણકારી

આગળનો લેખ
Show comments