દુકાનમાં આગ લાગ્યા બાદ બજાર બંઘ પોલિસ અને ફાયર બ્રીગેડની ટીમ ઘટના સ્થળે
કચ્છ અંજારનાં ગંગા બજારમાં આવેલી બેગની એક દુકાને કેટલાક તોફાની તત્ત્વોએ આગ ચાંપીને સળગાવી દેવાનાં સમાચારે શાંતિપ્રિય કચ્છનાં લોકોને ચિંતામાં મૂકી દીધા હતા. અંજારની બે પુખ્ત વયની યુવતીઓ ગાયબ થવાની પાછળ જે યુવકનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે તેની જ દુકાન સળગાવવામાં આવી હતી. આથી તે ઘટનાનાં પ્રત્યાઘાત સ્વરૃપે આગની આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગની ઘટનામાં કોઈ નુકસાન કે ઈજા થઈ ન હતી. પોલીસે ઘટના બાદ તરત જ સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે, આહિર સમાજ દ્વારા શનિવારે અચોક્કસ મુદ્તનું અંજાર શહેર બંધનું એલાન અપાતાં પોલીસ પણ અત્યારથી જ સ્ટેન્ડ ટુ પોઝિશનમાં આવી ગઈ છે.