Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં બર્ડ ફ્લુનો એક પણ શંકાસ્પદ કેસ નોંધાયો નથીઃ પશુપાલન મંત્રી કુંવરજી બાવળીયા

Webdunia
બુધવાર, 6 જાન્યુઆરી 2021 (15:22 IST)
દેશમાં કોરોનાની અસર વચ્ચે  રાજ્યોમાં બર્ડ ફ્લૂની અસર વધી રહી છે. સમગ્ર દેશમાં 10 દિવસમાં 4.84 લાખ 775 પક્ષીનાં મોત થયાં છે. 4 રાજ્યમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે.  રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કેરળમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. હરિયાણામાં રિપોર્ટ આવવાનો બાકી છે. અહીં 10 દિવસમાં 4 લાખ મરધીનાં મોત થઈ ચૂક્યાં છે.

ગુજરાતમાં 53 પક્ષીનાં મોત થયાં છે, જોકે બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ નથી. દિલ્હી અલર્ટ પર છે. ત્યારે ગુજરાતના પશુપાલન મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે કે રાજ્યમાં બર્ડ ફ્લુનો એક પણ કેસ નોંધાયો નથી. ભારત સરકારની સૂચના પ્રમાણે બધાને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. 
તેમણે એવું પણ કહ્યું હતું કે છેલ્લા બે દિવસમાં 55 જેટલા પક્ષીઓની મૃત હાલતમાં બોડી મળી હતી.પ્રાથમિક તપાસમાં પોઈઝનથી મોત થયા હોવાનુ જાણવા મળ્યુ છે
. તે ઉપરાંત સુરત પાસે ચાર પક્ષીઓના મોત થયાં છે. જો કે રાજ્યમાં હજી સુધી કોઈ શંકાસ્પદ કેસ નોંધાયો નથી. રાજ્યમાં ક્યાંય કોઈ ચિંતાનું કારણ નથી. આ રોગ માટે દવાઓ અને વેક્સિનેશન અંગેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.  જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાંટવાના ખારા ડેમ પાસે રેવન્યુ વિસ્તારમાં ટીટોડી, બગલી, બતક, નકટો સહિતના ૫૩ જેટલા પક્ષીઓના મૃતદેહ મળી આવતા ચકચાર પ્રસરી છે. આ અંગે વનવિભાગે તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતોનુસાર માણાવદર તાબાના બાંટવા નજીકના ખારા ડેમ પાસેના રેવન્યુ વિસ્તારમાં પક્ષીઓના મૃતદેહ પડયા હોવાની મળેલ બાતમીના આધારે વન વિભાગના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. જેમાં સ્થળ પરથી ટીટોડી - 46, બગલી - 3, નકટો -1, બતક -3 મળી કુલ 53 પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ અંગે આર. એફ.ઓ. એ.એ. ચાવડાએ જણાવેલ કે, ઘટનાનું પ્રાથમીક નિરિક્ષણમાં કોઈ રોગચાળા ના કારણે એક સાથે આટલા મોટા પ્રમાણમાં પક્ષીઓનું મોત થયાની પુરી શકયતા છે. જો કે મોતનું સાચું કારણ જાણવા પક્ષીઓના મૃતદેહનું પીએમ અને લેબોરેટરી કરાવવા માટે વેટેનરી તબીબને કાર્યવાહી કરવા જાણ કરાઇ છે.ટીટોડી, બગલી, નકટો, બતક સહિતના 53 મૃતદેહ મળી આવ્યાનું જણાવ્યું હતું. આ પક્ષીઓના મોત રોગચાળાથી થયું હોવાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળે છે આ અંગે વન વિભાગે સાચું કારણ જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments