Webdunia - Bharat's app for daily news and videos

Install App

વરસાદની આગાહી વચ્ચે જાણો ગુજરાતના ડેમોમાં કેટલું પાણી બચ્યું છે?

Webdunia
શુક્રવાર, 14 જૂન 2024 (18:29 IST)
ચોમાસું દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયું છે, જેને પગલે હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે.ચોમાસાના દસ્તક વચ્ચે હવામાન ખાતાએ શરૂઆતમાં જ ગુજરાતમાં ચોમાસું નબળું પડી ગયાની જાહેરાત કરીને આમ આદમીની ચિંતા વધારી દીધી છે.જો રાજ્યમાં વરસાદ ખેંચાશે તો કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને નર્મદાના ભરોસો રહેવું પડી શકે છે. રાજ્યમાં 202 ડેમ તળિયા ઝાટક સ્થિતિમાં હોવાની વિગતો સામે આવી છે. ખેડૂતોને પણ વાવણી માટે હજી રાહ જોવી પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે.
 
કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણીની કટોકટી સર્જાઈ શકે
બીજી તરફ રાજ્યમાં જો વરસાદ ખેંચાશે તો કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણીની વિકટ સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. આ ત્રણેય ઝોનને નર્મદાના પાણી પર નિર્ભર રહેવું પડી શકે છે. ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાથી જળાશયોમાં પાણી સુકાઈ ગયાં છે. જેના કારણે પીવાના અને સિંચાઈ માટેના પાણી માટે મોટી તકલીફોનો સામનો કરવો પડે એમ છે. રાજ્યમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે તાપમાનની વાત કરીએ તો  અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે.
gujarat dam
રાજ્યના 207 ડેમમાં 39.92 ટકા પાણી બચ્યું છે
આજની તારીખે ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 26.91 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 43.68 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 32.60 ટકા, કચ્છના 20 ડેમમાં 23.36 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 13.28 ટકા અને સરદાર સરોવરમાં 56.35 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. રાજ્યના 207 ડેમની વાત કરીએ તો હાલ માત્ર 39.92 ટકા પાણી છે. રાજ્યમાં હાલમાં એક જ ડેમ એવો છે જેમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો છે. જ્યારે એક ડેમમાં 80 ટકાથી વધુ પાણી છે. 202 ડેમમાં પાણીનો જથ્થો ખૂબ ઓછો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. ઉકળાટ અને બફારાના કારણે સૌરાષ્ટ્રના જળાશયો ઝડપભેર ખાલી થઇ રહ્યા છે. દસ દિવસમાં જ 85 જળાશયોનું સ્તર 69.22 ટકામાંથી ઘટીને 49.67 ટકા થતાં સરેરાશ 3.91 ટકનો ઘટાડો થયો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IND vs BAN: શાકિબ અલ હસને ટી20માંથી લીધો સન્યાસ, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ પણ બની શકે છે અંતિમ મેચ

પ્રાઈવેટ પાર્ટમાં મરચાં ભરીને લોહીલુહાણ કરી નાખ્યુ, મહિલાઓથી ક્રૂરતાની હદ વટાવી

તહેવાર પહેલા મોદી સરકારે શ્રમિકોને આપ્યા સારા સમાચાર, લઘુત્તમ વેતનમાં વધારો, 1 ઓક્ટોબરથી લાગૂ થશે.

યુવતીને ઝાડીઓમાં લઈ જઈને તેના પર બળાત્કાર ગુજાર્યો, આનાથી પણ મને સંતોષ ન થયો, તો...

'પાકિસ્તાન થઈ ગયું છે એકદમ ગરીબ', નાણામંત્રીએ કહ્યું - જનતાએ સહન કરવી પડશે 'સંક્રમણની પીડા', જાણો શું છે આ પીડા ?

આગળનો લેખ
Show comments