Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાહોદમાં રસી અને દવા પીવડાવ્યા બાદ એક મહિનામાંજ બે જોડિયા બાળકોનાં મોત

Webdunia
બુધવાર, 11 માર્ચ 2020 (13:25 IST)
દાહોદ તાલુકાના કટવારા ગામમાં રસી અને દવા પીવડાવ્યા બાદ તબિયત લથડતા એક મહિનાના જોડિયા બાળકોના મોત નીપજ્યા છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. દાહોદ તાલુકાના કટવારા ગામમાં રહેતા રાકેશભાઇ કટારાની પત્નીએ 40 દિવસ પહેલા જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. જેમના નામ મયંક અને અર્પિત રાખવામાં આવ્યા હતા. બંને બાળકોને ગત 4 માર્ચના રોજ રસી અને દવા પીવડાવવામાં આવી હતી. ત્યારબાદ બંને બાળકોની તબિયત લથડી હતી. જેથી બંને બાળકોને દાહોદની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે જઇ લવામાં આવ્યા હતા. જ્યાં એક બાળક મયંકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પરિવારે તેના મૃતદેહને દાટી દીધો હતો. બીજા બાળક અર્પિતને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બાળકનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ બાળકના મોતનું સાચુ કારણ જાણી શકાશે. દાહોદ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતક બાળોકોના પિતા રાકેશભાઇ કટારા અમદાવાદમાં છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
 
 
 
 

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments