Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખંભાતના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાંચ દિવસ બાદ પણ અજંપાભરી સ્થિતિ

Webdunia
શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2020 (14:37 IST)
ખંભાતમાં થયેલ કોમી રમખાણોના પાંચમા દિવસ બાદ ગુરૂવારે જન-જીવન લગભગ થાળે પડ્યું હતું. પોલીસના ચુસ્ત પેટ્રોલિંગ અને બંદોબસ્ત વચ્ચે લોકોની અવર-જવર સામાન્ય બની હતી. મોટાભાગની દુકાનો ખુલી હતી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારો હજુ પણ એવાં ને એવા જ છે. હજુ પણ ઘરો-રસ્તાઓ સુમસામ પડ્યા છે. જ્યારે બીજી તરફ શાળા-કોલેજો અને સરકારી કચેરીઓ રાબેતા મુજબ ધમ-ધમી હતી.

ખંભાતમાં ગત રવિવારે બે કોમ વચ્ચે થયેલી હિસા બાદ પાચમા દિવસે શહેર ધબકતું થયું હતું. ગુરૂવારે સવારે રાબેતા મુજબ કેટલીક દુકાનો ખુલી હતી. ખંભાતના અકબરપુર, લાલ દરવાજા, બાવાબાજીસા, ભોઈબારી, ભાવસારવાડ અને મોચીવાડ વિસ્તારમાં કેટલાંય લોકો રમખાણને પગલે પોતાના ઘર-માલ-સામાન છોડીને જતા રહ્યા હતા. જેને પગલે તોફાનીઓએ તેને ફૂંકી માર્યા હતા.
આ બનાવને પગલે સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારો હજુ પણ ભેંકાર ભાસી રહ્યા છે. જોકે, આ વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આમ, તો મોચીવાડમાં થયેલી છેલ્લી ઘટના પછી એકપણ અનિચ્છનીય બનાવ બન્યો નહતો. બીજી તરફ પોલીસ દ્વારા પણ સમગ્ર બનાવમાં અફવાઓથી દૂર રહેવા અને ખોટા મેસેજ સોશ્યલ મીડિયા પર વાઈરલ ન કરવા માટે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments