Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રથમ તબક્કાના મતદાન પહેલા જેતપુર તાલુકા પ્રમુખનું હૃદયરોગના હુમલાથી નિધન

Webdunia
મંગળવાર, 29 નવેમ્બર 2022 (11:36 IST)
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. પ્રથમ તબક્કાના મતદાન પહેલા ભાજપ માટે માઠા સમાચાર આવ્યા છે. જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયાનું વહેલી સવારે તેમના વતન વીરપુરમાં હૃદયરોગના હુમલાથી નિધન થયાના સમાચાર સામે આવ્યા છે. 
 
ગઈ કાલે રાત્રે જેતપુર ખાતેની સભામાં તાલુકા ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.વેલજીભાઈ સરવૈયા નશાબંધીને આબકારી ખાતામાં તેમજ પછાત નિગમના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. તાલુકા પ્રમુખનું નિધન થતાં જેતપુર જામકંડોરણા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર જયેશ રાદડીયાના લોક સંપર્ક સહિતના તમામ કાર્યક્રમો મોફૂક રાખવામાં આવ્યા છે.ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 ડિસેમ્બર અને બીજા તબક્કામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments