Webdunia - Bharat's app for daily news and videos

Install App

જેતપુરના ધોરણ 10 વિદ્યાર્થીઓ આપી આંદોલનની ચિમકી, એક સરકારી નિર્ણય વિદ્યાર્થીઓને મુકી દીધા મુશ્કેલીમાં

Webdunia
મંગળવાર, 25 ફેબ્રુઆરી 2020 (14:54 IST)
ગુજરાત સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન અને ભણે ગુજરાત આગળ વધે ગુજરાતની મોટીમોટી વાત કરવામાં આવે છે. ત્યારે આ તરફ ધોરણ 10ની પરીક્ષાઓ શરૂ થઇ ગઇ છે. પરંતુ એક સરકારી નિર્ણયના લીધે તાલુકાના દેવકીગાલોળ ગામમાં અભ્યાસ કરતા 150 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાઇ ગયું છે. અહીં ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર 50 કિલોમીટર દૂર આપવામાં આવતા આ વિદ્યાર્થીઓએ પરીક્ષાનો બહિષ્કારનું વિચારી રહ્યા છે. જો જરૂર જણાય તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે. 
 
અમરેલીના જિલ્લાના જેતપુરના દેવકી ગાલોળ ગામના ધોરણ 10ના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. જેતપુર નજીકમાં આસપાસ આવેલા ગામડાના વિદ્યાર્થીઓને પોતાના ગામથી 50 કિમી દૂર જેતપુર શહેરમાં પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું છે. ઘંટીયાળ, રાંધીયા અને ધારી ગુંદાળી વગેરે ગામોના 150 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. આ વર્ષે તેમને ધોરણ 10ની પરીક્ષા આપવા માટે જેતપુર શહેરમાં કેન્દ્ર આપવામાં આવ્યું છે. પહેલાં તેમને ગામની 10 કિલોમીટર નજીક હોય એવું કેન્દ્ર આપવામાં આવતું હતું પણ નવું કેન્દ્ર 50 કિલોમીટર જેટલું દૂર છે. હવે પરીક્ષાના સવારના સમયે કોઈ ST બસ કે ખાનગી વાહનો મળી શકે એમ ન હોવાથી વિદ્યાર્થીઓ પરેશાન થાય એવી શક્યતા છે. વળી, આ કેન્દ્ર સુધી પહોંચવા માટે 4-4 કલાકનો પ્રવાસ કરવો પડે એમ છે. 
 
150 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષાનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે જેમાં 70થી વધુ વિદ્યાર્થીનીઓ છે. પરીક્ષાના બહિષ્કારની ચીમકી આપી રહેલા વિદ્યાર્થીઓ બાબતે શાળાના આચાર્યને પૂછતાં તેમણે પણ વિદ્યાર્થીઓની સમસ્યાને સમર્થન આપ્યું હતું. સરકારની બેદરકારીને લઇને હાલ તો આ 150 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાઇ ગયું છે ત્યારે સરકાર યોગ્ય પગલાં લઇને આ વિદ્યાર્થીઓની સમસ્યા યોગ્ય ઉકેલ લાવે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સૂર્ય અને ચંદ્રગ્રહણના દિવસે જન્મેલા બાળકો કેવા હોય છે ? જાણો તેમના સ્વભાવ અને ભવિષ્ય વિશે

મોરિંગા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક, જાણો તેને તમારા આહારમાં કેવી રીતે સામેલ કરવું?

Paneer Thecha Recipes - આ રેસીપી બનાવશો તો ઘરમા બધા જ સફાચટ કરી દેશે

એટલા માટે તમારે 3 મહિના સુધી તમારી પ્રેગ્નન્સી વિશે કોઈને કહેવું જોઈએ નહીં, ખુદ ડોકટરો પણ ના પાડે છે

કુંભારની શીખામણ

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા સાઉથ એક્ટર અભિનેતા-દિગ્દર્શકનું નિધન, 48 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, સિનેમા જગતમાં શોક

સોનુ સૂદની પત્ની સોનાલી સૂદને મુંબઈ-નાગપુર હાઈવે પર અકસ્માત, ઈજા થઈ હતી

KL Rahul and Athiya Shetty Baby - આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના ઘરે આવી નાનકડી પરી, સુનીલ શેટ્ટી બન્યા નાના

ભારતનું આ સુંદર હિલ સ્ટેશન, જ્યાં માત્ર 24 ઘર અને 4 દુકાનો છે

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

આગળનો લેખ
Show comments