Webdunia - Bharat's app for daily news and videos

Install App

જયંતિ ભાનુશાળી મર્ડર કેસમાં હત્યારાઓને લઇ સૌથી મોટો ખુલાસો

Webdunia
શુક્રવાર, 11 જાન્યુઆરી 2019 (14:33 IST)
ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની સયાજીનગરી એક્સપ્રેસમાં અજાણ્યા શાર્પ શૂટરો દ્વારા ફાયરીંગ કરીને કરવામાં આવેલી હત્યાનું સસ્પેન્સ પરથી પડદો હટી જશે. જયંતિ ભાનુશાળીના હત્યારાઓ ઓળખાઇ ગયા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.
જયંતિ ભાનુશાળીને 7-01-2019ના રોજ ભુજથી મુંબઈ જઈ રહેલી સયાજી નગરી એક્સપ્રેસમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યારાઓ હત્યા બાદ ચેઈન પુલિંગ કરીને ભાગી ગયા હતા. હવે એવી માહિતી સામે આવી રહી છે કે હત્યા બાદ જયંતિ ભાનુશાળી સાથે મુસાફરી કરી રહેલી એક મુસાફરની બેગ લઈને ભાગેલા હત્યારાઓ એક જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જયંતિ ભાનુશાળીના હત્યારાની ઓળખ થઈ હોવાનો સુત્રો દાવો કરી રહ્યા છે. આજે મોડી રાત કે આવતીકાલે અથવા સવારે આ મર્ડર મિસ્ટ્રી પરથી ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. હાલમાં બે શખ્સોએ હત્યા કરી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે, CCTV કેમેરા દ્ગારા હત્યારા ઓળખાયા હોવાનો સૂત્રો દાવો કરી રહ્યા છે. આ અંતર્ગત એક ટીમ હત્યારાને પકડવા રવાના કરાયાનો સૂત્રોનો દાવો છે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments