Webdunia - Bharat's app for daily news and videos

Install App

જામનગરમાં માતાએ ત્રણ બાળકોને કૂવામાં ફેંકી પોતે લગાવી છલાંગ, ત્રણ બાળકોના મોત, માતા બચી ગઇ

Webdunia
ગુરુવાર, 8 જુલાઈ 2021 (10:44 IST)
જામનગર જિલ્લાના મોરારદાસ ખંભાળીયા ગામ નજીક એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં એક માતાએ પોતાના ત્રણ માસૂમ બાળકોને કૂવામાં ફેંકીને હત્યા કર્યા બાદ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. પાણીમાં ડૂબીને ત્રણેય બાળકોના મોત થયા છે, પરંતુ બૂમો સાંભળીને ગ્રામજનોએ માતાનો જીવ બચાવી લીધો હતો. 
પ્રાપ્ત માહિતી અનુસાર ગામમાં રહેનાર મેસુબેનના પતિ નરેશભાઇને ત્રણ મહિનાથી નોકરી માટે કોઇ બીજા શહેર જવું પડ્યું છે, જે હજુ સુધી પરત ફર્યા નથી અને ના તો તેમનો સંપર્ક થઇ શક્યો છે. મેસુડીબેન સાસુ-સસરા સાથે રહીને ખેતરમાં મજૂરી કરી બાળકોનું ગુજરાન ચલાવતા હતા. 
 
જોકે હજુ સુધી ખુલાસો થયો નથી કે મેસુડીબેનએ આવું પગલું કેમ ભર્યું. પરંતુ ગ્રામજનો પાસેથી મળતી માહિતી અનુસાર પતિ ગાયબ થતાં મેસુડીબેન માટે બાળકોનું ભરણપોષણ મુશ્કેલ થઇ રહ્યું હતું. કદાચ તેનાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હશે. હાલ મેસુડીબેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments