Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં બિલ્ડર્સ ગૃપ પર ITના દરોડા, 15થી વધુ જગ્યાએ 150 અધિકારીઓની ટીમ ત્રાટકી

Webdunia
મંગળવાર, 27 ફેબ્રુઆરી 2024 (19:00 IST)
આવકવેરા વિભાગે રાજકોટમાં ટોચની બિલ્ડર્સ લોબી પર મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સૌરાષ્ટ્રના ઓરબીટ ગ્રુપના વિનેશ પટેલ અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી સહિત તેમની સાથે સંકળાયેલા ભાગીદારોને ત્યાં આવકવેરા વિભાગના દરોડાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. 150 જેટલા અધિકારીઓની ટીમ દ્વારા ઓરબીટ ગ્રુપના તેમજ લાડાણી એસોસિએટના અલગ-અલગ પ્રોજેકટમાં રોકાણ કરનાર ફાયનાન્સરો તેમજ ભાગીદારોને ત્યાં આવકવેરા વિભાગની ટીમ વહેલી સવારે ત્રાટકી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 
 
15થી વધુ જગ્યાએ કાર્યવાહી ચાલી રહી છે
રાજકોટ આવકવેરા વિભાગની ઇન્વેસ્ટીગેશન વિંગ કમિશનરના નેતૃત્વ હેઠળ વહેલી સવારથી રાજકોટમાં આશરે 15 જેટલી જગ્યાઓ પર ટીમ ત્રાટકી હતી. વહેલી સવારે 6 વાગ્યે જ આવકવેરા વિભાગની ટીમે દિલીપ લાડાણી અને વિનેશ પટેલ તેમજ તેના ભાગીદારોને ત્યાં પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધરી દીધું છે. ઓરબીટ ગ્રુપના અલગ-અલગ પ્રોજેકટ જેમ કે, ઓર્બીટ ટાવર, ઓર્બીટ રોયલ ગાર્ડન સહિતના પ્રોજેકટ. આ પ્રોજેકટમાં રહેલા તેમના ભાગીદાર અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી અને તેના ટ્વીન ટાવર પ્રોજેકટમાં ભાગીદાર રહેલા મયુર રાદડિયા, દાનુભા જાડેજા, ફાયનાન્સર મહિપતસિંહ ચુડાસમા સહિત સંકળાયેલા અનેક લોકો ઇન્કમટેકસની રડારમાં આવી ગયા છે અને વિવિધ પ્રોજેકટની ઓફિસ, બિલ્ડરોના નિવાસસ્થાન સહિતની 15થી વધુ જગ્યાએ કાર્યવાહી ચાલી રહી છે.
 
રીયલ એસ્ટેટના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો
આજે બિલ્ડર લોબીને આવકવેરા વિભાગે સાણસામાં લેતા સૌરાષ્ટ્રભરમાં બિલ્ડરો અને ફાયનાન્સરો તેમજ રીયલ એસ્ટેટના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.સમગ્ર ઓપરેશનને ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારી આદર્શ તિવારી લીડ કરી રહ્યા છે. આજના દરોડામાં રાજકોટ, જુનાગઢ, જામનગર, અમદાવાદ, વડોદરા અને સુરતના અધિકારીઓની ટીમ પણ જોડાઈ છે. આ અગાઉ સપ્ટેમ્બર 2018માં પણ આવકવેરા વિભાગ દ્વારા લાડાણી ગ્રુપને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Terror Attack in Baramulla: ચૂંટણી પહેલા મોટી સફળતા, બારામૂલામાં 3 આતંકવાદી ઠાર, ઓપરેશન ચાલુ

ગાઝિયાબાદમાં જ્યુસ વેચનારની ધરપકડ, ફળોના રસમાં ભેળવતો હતો માનવ પેશાબ

ગાંઘીનગરમાં મોટી દુર્ઘટના, મેશ્વા નદીમાં ડૂબવાથી 8 લોકોના મોત

મધ્યરાત્રિએ નર્સિંગ હોમમાં બોલાવવામાં આવ્યો, જ્યારે નર્સે ડૉક્ટરનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો ત્યારે ગેંગરેપ થવાની હતી.

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

આગળનો લેખ
Show comments