Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય તટરક્ષક દળે ગુજરાતના ઉમરગામમાં સંકટમાં ફસાયેલા 12 ક્રૂને બચાવ્યા

Webdunia
ગુરુવાર, 22 જુલાઈ 2021 (20:59 IST)
ભારતીય તટરક્ષક દળે 21 જુલાઈ, 2021ના રોજ ગુજરાતના ઉમરગામમાં ફસાયેલા મોટર વેસેલ (એમવી) કંચનના તમામ 12 ક્રૂને બચાવવામાં આવ્યા. મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (એમઆરસીસી) મુંબઇને 21 મી જુલાઈ, 2021ના ​​બપોરે ડી.જી. કમ્યુનિકેશન સેન્ટર, મુંબઇ પાસેથી માહિતી મળી કે એમવી કંચન બળતણનું દૂષિત થવાને કારણે ફસાયેલું છે, જેના કારણે એન્જિન કામ નથી કરી રહ્યું અને ખરાબ હવામાનની સ્થિતિને લીધે ત્યાં કોઈ વીજળી નથી. મોડી સાંજે જહાજના માલિકે જાણ કરી કે એમવી કંચન, સ્ટીલના કોઇલને કાર્ગો તરીકે લઈ જઈ રહ્યું હતું, એન્કર નીચે ઉતરી ગયું અને સ્ટારબોર્ડ (જમણી બાજુ) તરફ ઝુકી રહ્યું હતું.
 
એમઆરસીસી મુંબઇએ તુરંત જ ઇન્ટરનેશનલ સેફ્ટી નેટ (આઈએસએન) ને સક્રિય કર્યું અને એમવી હર્મીઝને તુરંત વ્યથિત જહાજ તરફ વાળવામાં આવ્યું. ઉબડ-ખાબડ સમુદ્રને પાર કરતા એમવી હર્મીઝે રાત્રિના એક ઓપરેશનમાં એમવી કંચનનાં તમામ 12 ક્રૂને સુરક્ષિત બહાર કાઢ્યા.
 
ડી.જી. શિપિંગ, મુંબઇ દ્વારા ફસાયેલા જહાજને મદદ કરવા માટે ઇમર્જન્સી ટોઈંગ વેસલ (ઇટીવી) વોટર લિલી પણ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત, વહાણના માલિકો દ્વારા વહાણને સહાય આપવા માટે બે ટગ ગોઠવવામાં આવી છે.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments