Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં વિધર્મી વિદ્યાર્થીએ ચોથા નોરતાની રાત્રે વિદ્યાર્થિનીની છેડતી કરી, બંને સાથે ગરબા રમવા જતા હતા

Webdunia
શનિવાર, 15 ઑક્ટોબર 2022 (13:09 IST)
વડોદરાના છાણી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં રહેતી અને એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતી સગીરા સાથે વિધર્મી સગીર પણ શાળામાં અભ્યાસ કરે છે. બંને સાથે અભ્યાસ કરતા હોવાથી બંને એકબીજાને ઓળખતા હતા. વિધર્મી યુવાન મિત્રતાને પ્રેમમાં ફેરવવા માંગતો હતો. નવરાત્રિ દરમિયાન સગીરા ગરબા રમવા માટે જતી હતી, ત્યારે તેની સાથે વિધર્મી સગીર પણ જતો હતો અને નવરાત્રિના ચોથા નોરતાની રાત્રે વિધર્મીએ ગરબા રમ્યા બાદ સગીરા સાથે છેડતી કરી હતી. યુવતી સગીર હોવાથી માતા પિતાને જાણ થશે તો બદનામી થશે અને ગરબા પણ રમવા માટે મોકલશે નહીં. તેવા ડરથી તેને પરિવારને જાણ કરી ન હતી.

દરમિયાન સમગ્ર મામલે સગીરાએ છાણી પોલીસ મથકમાં વિધર્મી સગીર યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.છાણી વિસ્તારમાં આ બનેલા લવ જેહાદના કિસ્સામાં વિદ્યાર્થિની અને વિધર્મી વિદ્યાર્થી સગીર છે. બંને સગીર અને સગીરા આ વિસ્તારની શાળામાં સાથે ભણતા છે. જેથી બંને વચ્ચે સમાન્ય મિત્રતા હતી. જોકે, સગીરે મિત્રતાને કંઈક અલગ સમજીને સગીરા સાથે ઇરાદાપૂર્વકનું કાર્ય કર્યું હતું. જોકે, છેડતીનો ભોગ બનનાર સગીરા આદિવાસી હોવાથી સ્થાનિક પોલીસ આ કેસની તપાસ SC-ST સેલને સોંપવામાં આવી છે.છેલ્લા ઘણા સમયથી લવ જેહાદના કિસ્સા સામે આવી રહ્યા છે. કેટલાક કિસ્સામાં વિધર્મી યુવકો દ્વારા યુવતીઓને પ્રેમ-જાળમાં ફસાવી પટાવી ફોસલાવીને અપહરણ કરી ભગાડી જાય છે, ત્યાર બાદ તેનું શારીરિક શોષણ કરવામાં આવતું હોવાના ચોંકાવનારા બનાવ બની ચૂક્યા છે. તો કેટલીક એવી ઘટના પણ સામે આવી છે. જેમાં વિધર્મી યુવકો હિન્દુ યુવતી સાથે મિત્રતા કર્યા બાદ તેની પ્રેમજાળમાં ફસાવી દેતા હોય છે, ત્યારબાદ વિધર્મી યુવકો યુવતીને તેમના રીતી રિવાજ મુજબ રહેવા માટે તથા તેમના ધર્મને સ્વીકારવા દબાણ પણ કરતા હોય છે. ત્યારે વધુ એક લવજેહાદનો કિસ્સો પોલીસ મથકમાં આવતા આ બનાવે ચકચાર જગાવી મૂકી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

ગુજરાતી જોક્સ - પત્નીની ચિંતા..

વધુ જુઓ..

નવીનતમ

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

આગળનો લેખ
Show comments