Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં મહિલાએ બે પુત્ર સાથે આપઘાત કર્યો, ઘરકંકાશની આશંકા

Webdunia
શનિવાર, 9 ઑક્ટોબર 2021 (10:57 IST)
રાજકોટમાં આજે સવારે બનેલી સામૂહિક આપઘાતની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. શહેરના નાકરાવાડી વિસ્તારમાં મહિલાએ બે માસૂમ પુત્ર સાથે અગ્નિસ્નાન કરી મોતને વ્હાલું કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી, જ્યાં પ્રાથમિક તપાસમાં ગૃહ કંકાસની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના કુવાડવા રોડના નવાગામ સોખડા પાસેના નાકરાવાડી વિસ્તારમાં 28 વર્ષીય દયાબેન વિજયભાઇ ડેડાણિયાએ 7 વર્ષીય પુત્ર મોહિત અને 4 વર્ષીય પુત્ર ધવલ સાથે અગ્નિસ્નાન કરી લીધું હતું. આ ઘટનાની જાણ થતાં દયાબેનના પરિવારમાં અને સમગ્ર કુવાડવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.ઉલ્લેખનીય છે કે આજથી 5 મહિના પહેલાં મોરબીના રવાપર રોડ પર આવેલી પંચવટી સોસાયટીમાં રહેતી એક 52 વર્ષની આધેડ મહિલાએ ઘરમાં જ સળગી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે એ-ડિવિઝન પોલીસે આપઘાત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી. મૃતકનાં ત્રણ સંતાન હોઈ અને તે ત્રણેય માનસિક બીમાર હતાં, જેમની યોગ્ય કાળજી ન રાખી શકતા હોવાથી લાગી આવ્યું હતું અને આ પગલું ભર્યું હોવાનું ખૂલ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments