Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં ધનતેરસે 80 કરોડનું 125 કિલો સોનું, રૂ.7થી 8 કરોડની 1 હજાર કિલો ચાંદીનું વેચાણ

Webdunia
બુધવાર, 3 નવેમ્બર 2021 (09:03 IST)
કોરોનાના બે વર્ષ બાદ પહેલા વખત શહેરમાં દિવાળીની ખરીદી નીકળી છે. ધનતેરસના દિવસે શહેરમાં અંદાજે રૂ.7થી 8 કરોડની 1 હજાર કિલો ચાંદી અને 80 કરોડના 125 કિલો સોનાનું વેચાણ થયું છે. શહેરના વેપારીઓએ ધાર્યા કરતા વધારે વેચાણ થયું હોવાનું જણાવ્યું હતું. આ વખતે ચાંદીની લગડીઓનું વેચાણ ગત વર્ષો કરતા વધારે થયું છે. આ ઉપરાંત હીરા-ઝવેરાત અને પ્લેટિનમ મળીને અંદાજે 100 કિલો જેટલું વેચાણ થયું છે. ધનતેરસે ચાંદીની વસ્તુઓની ખરીદી કરવામાં આવતી હોય છે. શહેરમાં ધનતેરસના દિવસે 1 હજાર કિલો ચાંદીનું વેચાણ થયું છે. ધનતેરસના દિવસે ખરીદવામાં આવેલી વસ્તુઓ તેર ગણી વધી જાય છે. જેથી લોકો ધનતેરસના દિવસે સોના-ચાંદીથી બનેલી વસ્તુઓની ખરીદી કરતા હોય છે. ધનતેરસના દિવસે સૌથી વધારે ચાંદીનું વેચાણ થતું હોય છે. સતત બે વર્ષથી મંદીમાં રહેલા સોનીઓને ધનતેરસે ચાંદી ચાંદી થઇ ગઇ છે. ધનતેરસે શહેરમાં 1 હજાર કિલો ચાંદી સાથે 125 કિલો સોનાનું અને 100 કિલો કરતા વધારે હીરા, ઝવેરાત અને પ્લેટિનમનું વેચાણ થયું છે. નવરાત્રિથી વેપાર સારો થઇ રહ્યો છે, પરંતુ દિવાળી પછી સોના-ચાંદીના ભાવ વધી શકે છે. જેના કારણે લોકો દાગીના, લગડી લેવા લાગ્યા છે. તેમજ લગનસરાની ઘરાકી ચાલુ થઇ છે.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments