Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકીય રીતે એક્ટિવ ના રહીએ તો સમાજના કામ ના થાયઃ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ

Webdunia
શુક્રવાર, 12 જુલાઈ 2024 (12:34 IST)
naresh patel
ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસને અનુલક્ષીને 30મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં લેઉવા પાટીદાર સમાજના સામાજિક, રાજકીય અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ ખોડલધામના ટ્રસ્ટીઓ અને કન્વીનરોની આજે મહત્ત્વપૂર્ણ બેઠક છે. જેમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહેશે.
 
રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થઈ રહ્યું છે
નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જયેશ રાદડિયા પાટીદાર યુવા નેતા છે અને તેમને જ્યારે જરૂર પડે ત્યારે ખોડલધામ તેમની સાથે ઊભું રહ્યું છે. રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય. એક પત્રિકા સવા મહિના પછી વાઇરલ થઈ છે. જેનાથી રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને લાગે છે. કોઈ પણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી.જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજનાં કામ ન થાય. જે રાજકારણમાં છે તેમને હું સપોર્ટ કરીશ. 
 
સરદાર પટેલ કહ્યું હતું કે ઘરની વાત ઘરમાં રાખો
તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશના રજવાડાઓને એક કરનારા સરદાર વલ્લભભાઈ પટેલે એવું કહ્યું હતું કે, ઘરની વાત ઘરમાં રાખવી. આજે અફસોસ સાથે કહેવું પડે છે કે, અમે જ ઘરની વાત ઘરમાં રાખી શકતા નથી. ખોડલધામ તરફથી ખાતરી આપું છું કે કોઈ રાગદ્વેષ નથી. જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા છે. તેને જ્યારે જરૂર પડે છે ત્યારે તેમની સાથે ઊભા રહ્યા છીએ. રાજ્યભરમાં ખોડલધામ સાથે જોડાયેલા લોકોમાં 500થી ઉપર તો કન્વીનરો છે. જ્યારે પાટીદાર સમાજની વાત આવે ત્યારે ઘણા આગેવાનો છે જેઓ રાજકીય અને સામાજિક રીતે કામ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

15 કલાક બાદ બોરવેલમાંથી બાળકી સુરક્ષિત બહાર આવી, રેસ્ક્યુ ટીમે ટનલ બનાવીને તેનો જીવ બચાવ્યો

આગળનો લેખ
Show comments