Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 વર્ષથી જૂનાં મકાનોના રિડેવલપમેન્ટ માટે મંજુરી

Webdunia
શુક્રવાર, 3 જુલાઈ 2020 (16:09 IST)
જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશનલ (જીડીસીઆર) 2017માં સુધારો કરી રાજય શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગે ગીર વિસ્તારોમાં ખખડી ગયેલી ઈમારતોના રિડેવલપમેન્ટ માટે મંજુરી આપવા નિર્ણય કર્યો છે. 2017ના નિયમો મુજબ રિડેવલપમેન્ટ માટે મંજુરી આપી શકાતી નહોતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને અન્ય શહેરોમાં હજારો ઈમારતો પડવાના વાંકે ઉભી છે. નિયમમાં બદલાવની આવી ઈમારતોના નવ નિર્માણનો માર્ગ મોકળો થશે. ર્જીણશીર્ણ આવાસી ઈમારતોના રિડેવલપમેન્ટ માયે જીડીસીઆરમાં ફેરફાર કરાયા સાથે કેટલીક શરતો નકકી કરવામાં આવી છે. 20 જને જારી નવા જીઆર કહે છે કે જીડીસીઆર 2017 નીચે હાલના રહેણાંક મકાનોના રિડેવલપમેન્ટ માટે મંજુરી નથી એવા ડીડબલ્યુ 3 ટાઈપની ઈમારતોને નવો નિયત લાગુ પડશે. જીઆરમાં લાયકાત-પાત્રતાના ધોરણે પણ નકકી કરાયા છે. રિડેવલપમેન્ટની અરજીની તારીખે જે ઈમારતો 25 વર્ષથી જૂની હોઈ અથવા સક્ષમ સતાતંત્ર દ્વારા ખખડી ગયેલી જાહેર થઈ હોઈ તેવી ઈમારતોને રિડેવલપમેન્ટ માટે મંજુરી અપાશે. મ્યુનીસીપલ કોર્પોરેશનની સમીતી અથવા અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી અથવા ટાઉન પ્લાનીંગ અધિકારીઓ અને અન્ય સક્ષમ સતાવાળાઓ દ્વારા ર્જીણશીર્ણ જાહેર કરાયેલી આવાસીય ખરાબો રિડેવલપેમન્ટ માટે પાત્ર રહેશે. નવી નીતિ મુજબ 40 ચોરસ મીટરથી નીચેના રહેણાંક મકાનને 40 ચોરસ મીટરના રહેણાંક મકાન તરીકે રિડેવલપ કરી શકાશે. પરંતુ 40 ચોરસ મીટરથી વધુ કાર્પેટ વિસ્તાર હોય તો હાલના કાર્પેટ એરીયા સુધી રિડેવલપ કરી શકાશે. વ્યક્તિગત મકાનોની મહતમ સંખ્યા હાલના અધિકૃત મકાનોની સંખ્યા કરતાં વધવી જોઈએ નહીં. એથી વધુ એફએસઆઈ માટે જંત્રીદરની ખુલ્લી જમીનના 40% દર વસુલ કરવામાં આવશે. નવી નીતી મુજબ પાર્કીંગ નિયંત્રણો હળવા કરાશે પણ આગ અને માળખાની સલામતીના નિયમોનું પાલન કરવું પડશે. મૂળ માલિકો રિડેવલપમેન્ટ મકાનનું પાંચ વર્ષ વેચાણ થઈ શકશે નહીં. નવી નીતિના કારણે મોટા શહેરોના જૂના વિસ્તારોમાં નવી બાંધકામ પ્રવૃતિને વેગ મળશે.
 
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments