Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભચાઉ પાસે નર્મદા કેનાલમાં ડૂબી રહેલા મુસ્લિમ યુવકને બચાવવા જતાં હિંદુ યુવક કેનાલમાં કૂદ્યો, બંનેના મોત

Webdunia
બુધવાર, 15 જૂન 2022 (10:16 IST)
રાજ્યમાં સતત કેનાલમાં ડૂબી જવાથી મોતની ઘટનાઓ વધી રહી છે. અવાર નવાર કેનાલમાં ડૂબવાના સમાચાર આવી રહ્યા છે. ત્યારે ભચાઉમાં માતાની નજર સામે અક્રમ કુસબ અબડા નામના યુવકનું મોત થયું હતું. આ મુસ્લિમ યુવકને ડૂબતો જોઇ જિતેન્દ્રસિંહ જાડેજાનો યુવક તેને બચાવવા કેનાલમાં કૂદી પડ્યો હતો. પરંતુ પણ ડૂબી જતાં બંનેના મોત થયા હતા. જે લઇને ભચાઉ પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. 
 
આ સમગ્ર ઘટનામાં મહત્વની વાત એ છે કે એક તરફ હિંદુ મુસ્લિમના કોમી અથડામણો જોવા મળી રહી છે. તો બીજી તરફ એક મુસ્લિમ યુવકને બચાવવા માટે હિંદુ યુવકે પોતાનો જીવ ગુમાવી દીધો છે. 
 
ભચાઉ SRP કેમ્પ નજીક આવેલી નર્મદા કેનાલમાં મુસ્લિમ યુવાન અક્રમ યુસુફભાઈ અબડા માતાની નજર સામે પાણીમાં ડૂબી રહ્યો હતો. આ જોઇને તેને બચાવવા માટે ચોપડવા ગામના 24 વર્ષીય ક્ષત્રિય યુવાન જીતેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજાએ કેનાલમાં કૂદકો માર્યો હતો. જેમાં બંનેના જીવ ગયા હતા. આ ઘટના બાદ મુસ્લિમ યુવાન અક્રમનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે જીતેન્દ્રસિંહ જાડેજાનો મૃતદેહ 10 કિલોમીટર દૂર એનઆરઈ કોક કંપની પાછળ નર્મદા કેનાલમાંથી 20 કલાક બાદ મળી આવ્યો હતો.  થોડીવારમાં આ વાત વાયુવેગે પ્રસરી ગઇ હતી અને ગામના લોકો અહીં દોડી આવ્યા હતા.
 
બીજી તરફ મુસ્લિમ અગ્રણીઓએ જિતેન્દ્રસિંહ જાડેજાના ઘરે પહોંચી પરિવારને દિલાસો આપ્યો હતો. દિલ્હીના માજી સાંસદ મૌલાના ઉબેદૂલાખાન આઝમી, હાજી જુમાભાઈ રાયમા સહિતના મુસ્લિમ અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે જિતેન્દ્રસિંહ જાડેજાએ મુસ્લિમ યુવાનને બચાવવા શહીદી વહોરી એક ક્ષત્રિય ધર્મને છાજે એવું કાર્ય કર્યું છે. આ વાત મુસ્લિમ સમાજ ક્યારેય ભૂલશે નહીં.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments