Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનામતની ચર્ચા કરી જ નથી, આંદોલન ચાલુ જ રહેશે:હાર્દિક

Webdunia
બુધવાર, 27 સપ્ટેમ્બર 2017 (12:55 IST)
સરકાર સાથે બેઠક કરીને સ્વર્ણિમ-૨ સંકુલની બહાર આવેલા પાસનાં હાર્દિક પટેલ અને એસપીજીના લાલજી પટેલે મીડિયા સાથે વાત કરી હતી. જેમાં બન્ને અગ્રણીઓએ જૂદા જૂદા મંતવ્યો આપ્યા હતા. હાર્દિકે એવું કહ્યું હતું કે આ ચર્ચા સારી રહી હતી પરંતુ કોઇ પરિણામ આવ્યું નતી માટે અમારી લડત ચાલુ જ રહેશે. બન્ને આગેવાનોએ કહ્યું કે આંદોલન અનામત માટે હતું. જેની કોઇ ચર્ચા જ આ બેઠકમાં નથી થઇ. બાકીની જે માગ હતી એ તો સરકારની ભૂલોને કારણે ઊભી થઇ છે. એ માગણી પૂરી કરે તો એ બાબત સરકારની 'ભૂલ સુધારણા' કહેવાય. પાટીદારોની માગણી પૂરી થઇ ના કહેવાય. બે દિવસમાં કેસો પાછા ખેંચવાનો આદેશ અને બન અનામત આયોગની જાહેરાતને આવકારીશું. પરંતુ બેઠકમાં પાટીદારોને અનામત આપવા સંદર્ભની કોઇ જ વાતચીત સરકારે કરી નથી કે અમને બોલવા દીધા નથી. આયોગ અને તપાસ કરવા માટે સીટની રચનાનો સત્તાવાર નિર્ણય સરકાર જાહેર કરશે પછી જ અમે આગળની રણનીતિ ઘડીશું. પાસ અને એસપીજીનાં હોદેદારો પણ મીડિયા સમક્ષ અલગ અલગ વાતો કરતાં હતા. જેમાં તેઓએ કહ્યું કે, સરકાર એવું કહે છે કે પહેલા આંદોલન સમાપ્ચ કરો પછી જ રાજદ્રોહનાં કેસો પાછા ખેંચાશે. ખરેખર તો સમાધાન કરતી વખતે આવી કોઇ શરત હોવી જોઇએ નહીં. આ બેઠક નિષ્ફળ ગઇ છે. અમે આંદોલન ચાલુ જ રાખીશું.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments