Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજકેટનું પરિણામ 21મી ઓગસ્ટે જાહેર થઈ શકે છે, બોર્ડે પરીક્ષાની આન્સર કી સાઈટ પર મૂકી

Webdunia
શનિવાર, 14 ઑગસ્ટ 2021 (09:00 IST)
ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ આપેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ 21 ઓગસ્ટની આસપાસ જાહેર થશે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની સવલત માટે જેટલું બની શકે તેટલું જલદી પરિણામ જાહેર કરવાની તૈયારી શરૂ કરી છે. આ સાથે જ બોર્ડે વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની આન્સર કી વેબસાઇટ પર મૂકી છે, જેના પરથી વિદ્યાર્થીઓ પોતાના જવાબોને આધારે ગુણની ગણતરી કરશે. આન્સર કી અંગે જો કોઇ વિદ્યાર્થીની રજૂઆત હોય તો પ્રતિ ક્વેરી પ્રમાણે 500 રૂપિયાની ફી ભરીને પોતાની માહિતી બોર્ડને ઇ-મેઇલ કરી શકશે. જો વિદ્યાર્થીની રજૂઆત યોગ્ય હશે તો ભરેલી ફી પરત મળશે. વિદ્યાર્થીએ જેટલી રજૂઆત કરી હશે તે તમામ રજૂઆતો પ્રમાણે ફી ભરવાની રહેશે, ઉપરાંત બોર્ડ આપેલી આન્સર કીનો જવાબ અને વિદ્યાર્થીએ પોતે રજૂ કરતા જવાબના આધારો શું છે તેની માહિતી પણ આપવાની રહેશે. પરિક્ષા 6 ઓગસ્ટે લેવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments