Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા, મહત્તમ સપાટીથી 70 સેમી દૂર

Webdunia
શનિવાર, 14 સપ્ટેમ્બર 2019 (12:21 IST)
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીથી 70 સેમી દૂર છે. હાલમાં ડેમની સપાટી 137.96 મીટર છે. ડેમ પાણીથી છલોછલ ભરાયો છે ત્યારે આજે ગમે ત્યારે ડેમ ઓવરફલો થાય તેવી વકી છે. 17મી સપ્ટેમ્બરે રાજય સરકાર દ્વારા જન ઉમંગ ઉત્સવ ઉજવવામાં આવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે.સરદાર સરોવરમાં પાણીની ભરપૂર આવકના પગલે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે.

નર્મદા નદીમાં મોટી માત્રામાં પાણી છોડવામાં આવતાં કાંઠા વિસ્તારના 70 ગામોને ઍલર્ટ કરાયા છે.વડાપ્રધાન મોદીએ વર્ષ 2017માં સરદાર સરોવરનું લોકાર્પણ કર્યુ હતું. આગામી 17મી સપ્ટેમ્બરે જન્મદિનના અવસરે વડાપ્રધાન મોદી સરદાર સરોવરની મુલાકાત લેશે. હાલ ડેમના 23 દરવાજા 4 મીટર દૂર ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 7 લાખ 17 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે ડેમમાં ઉપરવાસમાંથી 7 લાખ 70 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે.છેલ્લા છ દિવસથી કેવડિયાનો ગોરા બ્રીજ પાણીમાં ગરકાવ થયો છે. સરદાર સરોવર પર દરવાજા મૂકાયા બાદ ઇતિહાસમાં પહેલીવાર ડેમ ઓવરફ્લો થશે

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments