Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહિસાગરમાં બાળવાઘના પગલાં જોવા મળતાં વન વિભાગ હરકતમાં સર્ચ ઓપરેશન શરુ

Webdunia
શુક્રવાર, 1 માર્ચ 2019 (13:11 IST)
વર્ષો બાદ ગુજરાતમાં વાઘ દેખાતા રાજ્યના પર્યાવરણ પ્રેમીઓમાં ખુશીની લાગણીઓ છવાઇ ગઇ હતી. જોકે, થોડા દિવસો પહેલા લુણાવાડા તાલુકાના કંતાર પાસેના જંગલ વિસ્તરમાંથી વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેને લઇ પર્યાવરણ પ્રેમીઓ હતાશ થઇ ગયા હતા. પરંતુ બાળ વાઘના પગલાં જોવા મળ્યા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. ત્યારે સ્થાનિક વનવિભાગ દ્વારા કોઇ મજબૂત પુરાવા વગર વાઘ હોવાની પુષ્ટિ ન કરવાની વાત કરી છે. ત્યારે સ્થાનિક લોકોની રજૂઆતના પગલે વનવિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.વન વિભાગના આ ઓપરેશનમાં 1 સ્થાનિક તેમજ બે વન કર્મચારી સહિત 20 ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં ખાનપુર બાલાસિનોર તેમજ લુણાવાડા વન વિભાગના કર્મચારીઓ જોડાશે.  આ અગાઉ પણ વર્ષો પછી ગુજરાતમાં વાઘ જોવા મળ્યો હતો. પરંતુ વનવિભાગની બેદરકારીના પગલે આ વાઘનો કંતાર પાસેના જંગલમાંથી મૃતદેહ મળ્યો હતો અને તેના અંતમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા.
 
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments