Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળસંરક્ષણ ગૃહમાં ગુનાહિત બાળકોની સંખ્યામાં ચિંતાજનક વધારો

Webdunia
સોમવાર, 6 માર્ચ 2017 (14:50 IST)
બાળકોને દેશના ભાવિનો અરીસો ગણવામાં આવે છે. પરંતુ દેશના આ ભાવિમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. અમદાવાદના બાળ સંરક્ષણ ગૃહમાં ૨૦૧૫ના વર્ષમાં ૩૦ બાળકો હતા જે ૨૦૧૬માં વધીને ૫૦ થઇ ગયા છે. આમ, બાળ સંરક્ષણ ગૃહમાં બાળકો કે જેમણે ગુનો કર્યો તેમના આંકમાં અંદાજે ૬૦%નો વધારો નોંધાયો છે.

૨૦૧૬ના વર્ષમાં ૫૦ બાળકોમાંથી ૩૦ લૂંટના ગૂના, ૧૫ ખૂનના ગૂના જ્યારે પાંચ બળાત્કાર-જાતિય સતામણીના હેઠળ બાળ સંરક્ષણ ગૃહમાં છે. આમ, બાળકોમાં ગંભીર ગુનાઈત પ્રવૃત્તિમાં સંડોવવવાનું પ્રમાણ જે વધી રહ્યું છે તે ખૂબ જ ચિંતાજનક છે. ઘણા કિસ્સાઓમાં એવું પણ બન્યું છે કે બાળકને તેની સારી વર્તણૂક બદલ મુક્ત કરવામાં આવ્યો હોય પરંતુ એ જ બાળક ફરી ગુનો કરતા ઝડપાતો હોય છે. બાળ સંરક્ષણ ગૃહમાં આ બાળકોનું કાઉન્સિલિંગ પણ કરવામાં આવે છે. પરંતુ ઘણા બાળકોની માનસિક્તા જ એવી થઇ ગઇ હોય છે કે કાઉન્સિલર માટે તેમનું કાઉન્સિલિંગ કરવું મુશ્કેલ બની જાય છે.
આ અંગે કાઉન્સિલરે જણાવ્યું કે 'કોઇ બાળકના ગુનામાં ગેંગનો હાથ હોય તો તેને સુધારવો ખૂબ જ મુશ્કેલ થાય છે. કેમકે, તે બાળક બાળ સંરક્ષણ ગૃહમાંથી બહાર નીકળે એટલે ગેંગ તેનું બ્રેઇનવોશ કરવાનું શરૃ કરી દે છે.  બાળકોનું દિમાગ ખૂબ જ કોમળ હોય છે. જેમાં બાળપણમાં જે પાઠ ભણાવવામાં આવે તેની છાપ આજીવન રહે છે. બાળકોની પ્રવૃત્તિ સહેજપણ શંકાશીલ જણાય તો માતા-પિતાએ તેના પર વધારે કડક નજર રાખવાનું શરૃ કરી દેવું જોઇએ. માતા-પિતા સમયસર જાગૃત થાય નહીં તો ઘણા કિસ્સાઓમાં પસ્તાવવાનો વારો આવતો હોય છે.

શું તમે માતા બનવાનું વિચારી રહ્યા છો? દરરોજ આ 1 યોગ આસન કરો

વજન ઓછું કરવા માંગતા હોય તો જાણી લો, કયા લોટની રોટલીમાં કેટલી કેલરી હોય છે?

Menstrual Hygiene Day 2024: પીરિયડસમાં હાઈજીનની કમીથી થઈ શકે છે આ રોગોનો ખતરો

World Hunger Day: વિશ્વ ભૂખ દિવસ ઈતિહાસ, થીમ, મહત્વ અને તથ્યો

Gravy Recipe- એક જ ગ્રેવીથી તૈયાર કરી શકાય છે 20 થી 25 ડિશ જાણો કેવી રીતે બનાવીએ

અદભૂત નજારા સાથે થઈ અનંત અંબાણીના બીજા પ્રી-વેડિંગની શરૂઆત, ઓરીએ બતાવી સુંદર ઝલક

Pahle Bharat Ghumo- ભારતની માત્ર આ જગ્યાઓ ફરી લો, વિદેશ જવાની જરૂર નહી પડે

'બીવી નંબર 1'ના 25 વર્ષ પૂરા થતા જેકી ભગનાનીએ પત્ની રકુલ પર વરસાવ્યો પ્રેમ, વીડિયો શેર કરીને કહી આ વાત

ગુજરાતમાં એક એવું અનોખું મંદિર છે, જ્યાં દેવી-દેવતાઓની એક પણ મૂર્તિ નથી.. જાણો અહીં કોની પૂજા થાય છે?

કરણ જૌહરે ઘડક 2 નુ કર્યુ એલાન, સ્ટાર કાસ્ટ અને રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો

આગળનો લેખ
Show comments