Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં 3 વર્ષમાં પોલીસ જાપ્તામાંથી 124 કેદીઓ ભાગી ગયા

Webdunia
ગુરુવાર, 2 માર્ચ 2017 (15:32 IST)
રાજ્યમાં પોલીસ જાપ્તામાંથી કેદીઓના ભાગી જવાના મુદ્દે  હાઈકોર્ટમાં થયેલી અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારને આરોપીઓ કે કેદીઓને કોર્ટમાં રજૂ કરતી વખતે અથવા તો હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતી વખતે સુરક્ષાના મુદ્દા પર નવી માર્ગદર્શિકા બનાવવામાં આવે તેવો નિર્દેશ કર્યો હતો. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આરોપીઓ અને કેદીઓને તેમની સામેના આરોપ કે ગુન્હા મુજબ વર્ગીકૃત કરી પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટાફને માહિતગાર કરવામાં આવે.

આ પ્રકારના બનાવમાં જો પોલીસની સાંઠગાંઠ નજરે પડે તો તેમની સામે કડક પગલા લેવામાં આવે અને આ અંગે એક માસમાં રિપોર્ટ રજૂ કરવામાં આવે. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, છેલ્લા ત્રણ વર્ષમાં પોલીસ જાપ્તામાંથી કેદીઓના ભાગી જવાના 124 બનાવ બન્યા છે.  ઓક્ટોબર-2016 સુધીમાં આ પ્રકારના બનાવમાં 183 પોલીસકર્મીઓની સંડોવણી બહાર આવી છે જેમાંથી 129 પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ  છે અને 16 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાવામાં આવ્યા છે. 82 પોલીસ કર્મચારીઓ સામે ખાતાકીય પગલાની કાર્યવાહી ચાલુ છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

lord vishnu names for baby boy- એકાદશી પર રાખો ભગવાન વિષ્ણુ ના નામ પર બાળકોના નામ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments