Webdunia - Bharat's app for daily news and videos

Install App

26મી જાન્યુઆરીની જાહેરાત બાદ આજે સાબરમતી જેલમાંથી 95 કેદીઓ મુક્ત કરાયા

Webdunia
બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (10:44 IST)
26મી જાન્યુઆરીના દિવસે થયેલ જાહેરાત પ્રમાણે આજે સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓને મુક્તિ આપવામાં આવી હતી. અમદાવાદની સાબરમતી જેલમાંથી 95 કેદીઓને છોડવામાં આવ્યા હતાં જેમાં 80 પુરૂષો અને 15 મહિલા કેદીઓનો સમાવેશ થાય છે. તેમને લેવા પરિવારજનો આવતા લાગણીસભર દ્રશ્યો ઉપસી આવ્યાં હતાં. જેલના પોલીસ કર્મચારીઓએ કેદીઓનુંં મોઢું મીઠું કરાવીને એક બુક આપી હતી.આજે સાબરમતી જેલમાં બપોરના 1 વાગ્યાની આસપાસ 95 કેદીઓને છોડવામાં આવ્યા હતાં. 26મી જાન્યુઆરીના દિવસે રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યની વિવિધ જેલોમાં સજા ભોગવતા કેદીઓને રાજ્ય સરકારે પ્રજાસત્તાક પર્વની અપ્રતિમ ભેટ આપી સંવેદનશીલ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યના અંદાજે ૪૩૯ જેટલા કેદીઓને સજામાંથી માફી અપાશે.અત્રે ઉલ્લેખનીય છે કે, જે કેદીઓ રીઢા ગુનેગાર છે, કેન્દ્ર અને રાજ્ય સરકારના મોટા ગુનાઓ જેવા કે ટાડા, પોટા, નેશનલ સિક્યુરિટી એક્ટ, આર્મ્સ એક્ટ, વિસ્ફોટક સામગ્રી, ફેમા હેઠળ સજા ભોગવતા કેદીઓનો સમાવેશ કરાયો નથી. આ ઉપરાંત એક કરતાં વધુ ખૂનમાં સંડોવાયેલા, દહેજ પ્રતિબંધક ધારાઓના આરોપી, લૂંટ અને ધાડ કેસના આરોપી, બળાત્કારના આરોપી તથા જાલી નોટ બનાવવાના કેસમાં સંડોવાયેલા આરોપીઓને છોડવામાં આવશે નહીં, એમ તેમણે ઉમેર્યું હતું.

Diabetes Care - ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોય તો આ આદતોને કહી દો બાય-બાય, શુગર લેવલ નહીં વધે.

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

આગળનો લેખ
Show comments