Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન કોને કેવી રીતે પ્રવેશ મળશે

Webdunia
બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (12:32 IST)
કોરોના કોરોના સંક્રમણ વચ્ચે સોમવારથી વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઇ રહ્યું છે ત્યારે કોવિડ-19 પ્રોટોકોલ મુજબ સોશિયલ ડિસ્ટન્સીંગ અને સેનિટાઇઝેશન માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. જેના કારણે પ્રથમવાર એવું બનશે કે ધારાસભ્યોને ગૃહમાં પોતાની જગ્યા છોડીને પ્રેક્ષક ગેલેરીમાં બેસવું પડશે. મંત્રીઓ સહિત 92 સિનિયર ધારાસભ્યો ગૃહમાં પોતાની જગ્યાએ બેસી શકશે. તેમની બેંચ વચ્ચે પણ ડિસ્ટન્સ રખાશે જ્યારે 79 ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં ડિસ્ટન્સીંગ સાથે બેસાડાશે. મુખ્યમંત્રીથી લઇને તમામ મંત્રીઓ, ધારાસભ્યો, અધિકારીઓ અને પત્રકારોને પણ કોરોના ટેસ્ટ કર્યા બાદ જ વિધાનસભામાં પ્રવેશ અપાશે. સલામતી રક્ષકોના પણ ફરજિયાત કોરોના ટેસ્ટ કરવા પડશે. આ વખતે વિધાનસભામાં પ્રેક્ષકો અને મુલાકાતીઓ માટે પ્રવેશ પ્રતિબંધિત કરાયો છે. ધારાસભ્યોની સાથે તેમના પીએ કે ડ્રાઇવર પણ વિધાનસભામાં પ્રવેશી શકશે નહીં. ધારાસભ્યો પોતાના વિસ્તારમાં ટેસ્ટ કરાવીને આવી શકશે જ્યારે વિધાનસભામાં પણ સામૂહિક ટેસ્ટીંગ માટે સુવિધા રાખવામાં આવી છે. 18મીએ વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. આ વખતે પ્રથમવાર બે શ્રેષ્ઠ ધારાસભ્યોને એવોર્ડ પણ અપાશે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments