Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી ઉત્સવોથી વિદેશી પ્રવાસીઓ આકર્ષાયા નહીં, ઉત્સવો પાછળ ૪૩ કરોડનો ધૂમાડો

Webdunia
મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (12:17 IST)
ઉત્સવો ઉજવવામાં ભાજપ સરકાર માહિર છે. પ્રવાસીઓને આકર્ષવાના હેતુસર કરોડોનો ખર્ચ કરી ઉત્સવો ઉજવ્યા પણ તેનો હેતુ જ સર્યો નહીં . ભાજપ સરકારે પતંગોત્સવ, નવરાત્રી મહોત્સવ અને રણોત્સવ પાછળ છેલ્લાં ત્રણેક વર્ષમાં રૃા.૪૩ કરોડનો ધૂમાડો કર્યો હતો. ગુજરાતમાં સરકાર દ્વારા ઉજવાતા ઉત્સવોમાં માત્ર ૨૪૫ જ વિદેશી મહેમાનો આવ્યા હતાં . ઉત્સવો ઉજવવા પાછળ સરકારનો એવો દાવો રહ્યો છેકે, ગુજરાતના ઉત્સવો થકી દેશવિદેશના પ્રવાસીઓને આકર્ષવા પણ આ દાવો પોકળ સાબિત થયો છે.

રણોત્સવમાં ત્રણ વર્ષમાં માત્ર ૩૮ જ વિદેશીઓ આવ્યા છે જયારે પતંગોત્સવમાં ૧૪૯ વિદેશીઓ ઉપસ્થિત રહ્યા હતાં. નવરાત્રી માણવા ગુજરાત આવનારાં વિદેશીઓની સંખ્યા માત્ર ૫૮ જ રહી છે. પ્રવાસીઓને આકર્ષવાના ભાગરૃપે ઉજવાતાં રણોત્સવ પાછળ સરકારે ત્રણ વર્ષમાં રૃા.૧૦.૪૨ કરોડ , પતંગોત્સવ પાછળ રૃા.૧૧.૮૫ કરોડ અને નવરાત્રી મહોત્સવ પાછળ રૃા.૨૦.૩૩ કરોડનો ખર્ચ કર્યો હતો. કોંગ્રેસનો આક્ષેપ છેકે, ભાજપ સરકાર દર વર્ષે આ ત્રણેય ઉત્સવો પાછળ રૃા.૧૫ કરોડનો ખર્ચ કરે છે. આમ છતાંયે દેશવિદેશી પ્રવાસીઓ ગુજરાતમાં ડોકાતા નથી. પ્રવાસન ક્ષેત્રમાં મૂડીરોકાણ વધતુ નથી.
વધુ જુઓ..

જરૂર વાંચો

પ્રયાગરાજમાં આવેલું વાસુકી નાગ મંદિર

ગુજરાતી જોક્સ - આવું કેમ કર્યું?

ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું?

ગુજરાતી જોક્સ - 100 રૂપિયા

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

વધુ જુઓ..

નવીનતમ

Child Story- કીડી અને ખડમાકડી

Unwanted pregnancy અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે Pills કેટલી સારી છે? ડૉક્ટર પાસેથી સલામત પદ્ધતિ જાણો

યૂરિક એસિડના દર્દી સવારે ખાલી પેટ 1 કપ પી લો આ શાકનું જ્યુસ, યુરીન સાથે વહી જશે પ્યુરીનનાં કણ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

આગળનો લેખ
Show comments