Webdunia - Bharat's app for daily news and videos

Install App

યુવતીને સોશિયલ મીડિયા પર મિત્રતા ભારે પડી, યુવકે ધમકીઓ આપી વારંવાર બળાત્કાર કર્યો

Gujarat samachar -Ahamadabad news
Webdunia
બુધવાર, 27 જૂન 2018 (11:41 IST)
મંગળવારે એક મહિલાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે 2015માં સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવેલા શખ્સે તેની સાથે બળાત્કાર કર્યો છે. સિવિલ હૉસ્પિટલ કેમ્પસમાં આવેલી ગુજરાત ઈન્સ્ટીટ્યૂટ ઓફ નર્સિંગ એજ્યુકેશન એંડ રિસર્ચની પૂર્વ વિદ્યાર્થિનીની ફરિયાદ પ્રમાણે, 2015માં પાંડાવાણિયા ગામના યુવક ધ્રુવિત પટેલના સંપર્કમાં આવી હતી. સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યા બાદ બંને દરરોજ ફોન પર વાતો કરતા હતા.

ઓક્ટોબર 2015માં આરોપી ધ્રુવિતે મહિલાને જણાવ્યું કે, પોતે તેને મળવા અમદાવાદ આવી રહ્યો છે. ધ્રુવિત મહિલાને કોલેજના કેમ્પસમાંથી ફરવા જવાનું કહીને ગીતા મંદિર પાસે આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો. જ્યાં તેણે મહિલા સાથે જબરદસ્તી કરી બળાત્કાર ગુજાર્યો. પીડિતાના જણાવ્યા પ્રમાણે, ધ્રુવિતે તેના બિભત્સ ફોટો પણ પાડ્યા અને ચૂપ રહેવાની ધમકી આપી.

પીડિત મહિલાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR પ્રમાણે, બિભત્સ તસવીરોનો ઉપયોગ કરીને ધ્રુવિત અવારનવાર શારીરિક સંબંધ બાંધવા મહિલાને મજબૂર કરતો હતો. જ્યારે પીડિતાએ તેને ફોન ન કરવાનું કહ્યું ત્યારે ધ્રુવિતે તેને બિભત્સ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની તેમજ પીડિતાના પિતાને તસવીરો મોકલી આપવાની ધમકી આપી.પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, “મેં વિચાર્યું કે જો હું તેની વાત નહીં માનું તો મારું કરિયર ખતમ થઈ જશે અને મારા પિતાને આ વાતની જાણ થશે તો મને સજા આપશે. એટલે મેં આ વાત કોઈને ના કરી. બે મહિના પહેલા ફરીથી ધ્રુવિતે ફોન કરીને મારી સાથે શારીરિક સંબંધ બાંધવાની માગ કરી એટલે આખરે મેં પિતાને સમગ્ર હકીકત જણાવી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments