Dharma Sangrah

ભરૂચ : બંધ કંપનીમાં 40 લોકોનાં ટોળાએ કર્યો હુમલો, 3 સુરક્ષાકર્મીનાં મોત, 3ને ઇજા

Webdunia
બુધવાર, 18 સપ્ટેમ્બર 2019 (14:41 IST)
ભરૂચ જિલ્લાના ઉટિયાદરા ગામની પીજી ગ્લાસ નામની બંધ કંપનીમાં 40 જેટલા લોકોનાં ટોળાએ 6 સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. જેમાં બે સુરક્ષા કર્મચારીઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય એક સિક્યુરિટી ગાર્ડનું સારવાર દરમિયાન મોત થયું છે. ત્રણ ઘાયલ સિક્યુરિટી ગાર્ડસને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે ભરૂચ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.  
 
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાનાં ઉટિયાદરા ગામની પીજી ગ્લાસ નામની બંધ કંપનીમાં 6 સિક્યોરિટી ગાર્ડ ફરજ બજાવતા હતાં. જ્યાં 40 જેટલા લોકોનાં ટોળાએ 6 સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. જેમાં બે સુરક્ષા કર્મીઓનાં ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે અન્ય 4 ઇજાગ્રસ્તોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જેમાંથી ત્રણ ગાર્ડની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
 
 
ઘટનાની જાણ થતાં જ ભરૂચ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આસપાસના લોકોને એવી શંકા છે કે આ ટોળું લૂંટ મચાવવાના ઇરાદે કંપનીમાં ઘૂસ્યું હતું. પરંતુ હાલ પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Makhana Rabri Recipe- ડિનર ઝડપથી તૈયાર કરો ક્રીમી મખાના રબડી, મહેમાનો પણ રેસીપી માંગશે

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments