rashifal-2026

નદીઓના પ્રદૂષણમાં આખા દેશમાં ગુજરાત ચોથા ક્રમ પર

Webdunia
સોમવાર, 13 ઑગસ્ટ 2018 (12:33 IST)
નદીઓના પ્રદૂષણમાં આખા દેશમાં ગુજરાત ચોથા ક્રમ પર છે. વન પર્યાવરણ વિભાગ દ્વારા લોકસભામાં જણાવવામાં આવ્યું કે ગુજરાતમાં 20 નદીઓ પ્રદૂષિત છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વાર્ષિક અહેવાલ પ્રમાણે શેઢી, નર્મદા, સાબરમતી, મહી અને દમણગંગાના પાણીની ગુણવત્તામાં ભારે પ્રદૂષણ છે.
કેન્દ્ર સરકાર દ્વારા સાબરમતી અને સોનગઢ તાલુકાના મિંડોલા નદીમાં પ્રદૂષણ ઘટાડો કરવા ચાર વર્ષમાં રૂપિયા 200 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. સરકાર દ્વારા ભારે પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં ગુજરાતમાં નદીઓનું પ્રદૂષણમાં દિવસે અને દિવસે વધારો થઇ રહ્યો છે. રાજ્યની 20 નદીઓ ઉદ્યોગોના કચરાને લીધે પ્રદૂષિત બની છે અને ઔદ્યોગિક કેમિકલ કચરાને કારણે નદીઓના પાણી પીવાલાયક રહ્યાં નથી.
અનેક જગ્યાએ નદીઓમાં ઉદ્યોગોનો જોખમી કચરો નદીમાં ઠાલવવામાં આવી રહ્યો છે ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સવાલના ઘેરામાં છે. આ પ્રદૂષણને કારણે કુદરતી જળાશયો સહિત ભૂતળના પાણી પણ પ્રદૂષિત થયા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે છે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કરોડો રૂપિયાની ભ્રષ્ટાચારી રીતરસમોથી માનવ જિંદગી સાથે ચેડાં કરી રહ્યું છે એટલે કુદરતી નદીઓનું પાણી પ્રદૂષિત થાય છે. કેગના 2017ના અહેવાલ મુજબ ૮ મહાનગરપાલિકાઓ પૈકી ત્રણ પાસે ઘન કચરા પર પ્રક્રિયા કરવાની કોઈ સુવિધા નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Love Shayari - ગુજરાતી શાયરી

Frozen Peas- આ રીતે વટાણા પ્રિજર્વ કે સ્ટોર કરવાથી વર્ષભર રહેશે તાજા

Geeta Updesh: ગીતાના આ ઉપદેશ જેણે વાચ્યા તેમની બદલી જીંદગી, દરેક પગલે મળશે સફળતા

Farali Recipe- 15 મિનિટમાં ફટાફટ સાબુદાણાના પાપડ બનાવો, જાણો અનોખો હેક

એક મહિના સુધી ઓટ્સ ખાવાથી શુ થાય છે ? જાણો કેટલુ વજન ઘટી શકે છે અને આરોગ્યને કયા ફાયદા મળશે ?

વધુ જુઓ..

નવીનતમ

Arijit Singh Retirement: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધો સન્યાસ, લખ્યું, "હું અહીંયા જ સમાપ્ત કરી રહ્યો છું," પોસ્ટ જોઇને હેરાન થયા ફેન્સ

બાન્દ્રાની દરેક બિલ્ડિંગમાં છે આ અભિનેત્રીના ફ્લેટ, અક્ષય કુમારે ખોલી પોલ, પ્રોપર્ટી કલેક્શન વિશે જાણીને લાગશે શૉક

Adrija Roy Engagement: અનુપમા ની રાહી એ કરે સગાઈ, તમિલ રીતિ-રિવાજથી થઈ વિધિ, જુઓ તસ્વીરો

ગુજરાતી જોક્સ - દંડ શા માટે

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

આગળનો લેખ
Show comments