Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાળાઓમાં ઇતર પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત ન હોવી જોઇએ

Webdunia
સોમવાર, 9 જુલાઈ 2018 (11:24 IST)
ઇતર પ્રવૃત્તિઓની ફી ના સંદર્ભમાં સુપ્રિમ કોર્ટ સમક્ષ રજૂઆત કરાશે 


ગાંધીનગર, રાજ્યની સ્વનિર્ભર શાળાઓમાંથી જે શાળાઓએ ફી નિયમન માટે સંબંધિત ફી નિયમન સમિતિ (એફ.આર.સી.) સમક્ષ હજી સુધી પોતાની શાળાના ફી નિયમન અંગેની દરખાસ્ત નથી કરી તેવી શાળાઓ અંગે આગામી સુનાવણી પહેલાં નામદાર સુપ્રિમ કોર્ટનું ધ્યાન દોરવામાં આવશે તેમ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે. 

સુપ્રિમ કોર્ટમાં ફી નિયમન અંગે ચાલી રહેલા કેસની સુનાવણી થનાર છે ત્યારે આ સુનાવણીના સંદર્ભમાં રાજ્યની સ્વનિર્ભર શાળાઓના સંચાલકો અને વાલીમંડળના પ્રતિનિધિઓ સાથે શિક્ષણ વિભાગે નામદાર સુપ્રિમ કોર્ટના વચગાળાના આદેશ મુજબ ઇતર પ્રવૃત્તિની ફી અંગે તેમની રજૂઆતો સાંભળવા અને સર્વસંમત ફોર્મ્યુલા નક્કી કરવા બેઠક કરી હતી. તે બેઠકના અનુસંધાને ચર્ચાયેલા મુદા્ઓથી નામદાર સુપ્રિમ કોર્ટને માહિતગાર કરવા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ એટર્ની જનરલ વેણુગોપાલ, સિનિયર એડવોકેટ સુંદરમ તથા એડીશનલ સોલિસીટર જનરલ તુષાર મહેતા સાથે નવી દિલ્હી ખાતે બેઠક યોજી હતી.  આ બેઠકમાં શિક્ષણ મંત્રીએ ખાસ કરીને શાળાઓ દ્વારા લેવાતી ઇતર પ્રવૃત્તિઓ અંગેની ફી અંગે ઉપરોક્ત મહાનુભાવોનું ધ્યાન દોરી વાલીઓ વતી રજૂઆત કરતાં  જણાવ્યું હતું કે, ઇતર પ્રવૃત્તિ કોઇપણ વાલી કે વિદ્યાર્થીઓ માટે ફરજિયાત ન હોવી જોઇએ અર્થાત વાલી કે વિદ્યાર્થી ઇચ્છે તો જ ઇતર પ્રવૃત્તિની પસંદગી કરે અને પસંદગી કરે તો જ ફી લેવામાં આવે અને તે ફીનું પણ ફી નિયમન સમિતિ (એફ.આર.સી.) વાજબીપણું નક્કી કરે તેવી નામદાર સુપ્રિમ કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવે. એટર્ની જનરલ સાથે શિક્ષણ મંત્રીએ શાળાઓ ફી સંબંધે કેટલા ટકા સરપ્લસ ફંડ રાખી શકે તે બાબતે પણ એટર્ની જનરલ અને એડીશનલ સોલિસીટર જનરલ સાથે ચર્ચા કરી હતી. 
    ઉલ્લેખનીય છે કે, નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ  શાળા સંચાલકો અને વાલી મંડળના પ્રતિનિધીઓ સાથે ઇતર પ્રવૃત્તિઓની ફી સંબંધે તેઓની રજૂઆતો સાંભળવા બેઠક યોજી હતી. આ બેઠકોમાં ચર્ચાયેલા મુદા્ઓના તમામ પાસાઓથી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એટર્ની જનરલ વેણુગોપાલ, સિનિયર એડવોકેટ સુંદરમ તથા એડીશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાને માહિતગાર કર્યા હતા. 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments